Punjab Assembly Election: અમરિન્દરની પંજાબ લોક કોંગ્રેસ ચૂંટણીમાં ભજવશે મોટી ભૂમિકા, 5 ઉપાધ્યક્ષ અને 17 મહાસચિવોની કરી નિમણૂક

|

Jan 09, 2022 | 10:18 PM

બેઠકોની વહેંચણીને લઈને ત્રણેય પક્ષોના બે-બે નેતાઓની સમિતિ બનાવવામાં આવી છે, જે ટૂંક સમયમાં બેઠકોની સંખ્યા અને નામ અંગે ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ, કુલ 117 બેઠકોમાંથી ભાજપ અડધાથી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી રહ્યું છે.

Punjab Assembly Election: અમરિન્દરની પંજાબ લોક કોંગ્રેસ ચૂંટણીમાં ભજવશે મોટી ભૂમિકા, 5 ઉપાધ્યક્ષ અને 17 મહાસચિવોની કરી નિમણૂક
Amarinder Singh - File Photo

Follow us on

ચૂંટણી પંચે (Election Commission) શનિવારે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2022ની (Assembly Elections 2022) તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે પંજાબમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસથી અલગ થયેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની (Amarinder Singh) નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ તમામ પક્ષોને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહે રવિવારે તેમની નવી રાજકીય પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ માટે 5 ઉપાધ્યક્ષ અને 17 મહાસચિવોની નિમણૂક કરી છે.

5 ઉપાધ્યક્ષ અને 17 મહાસચિવોની નિમણૂક

જનરલ સેક્રેટરી (સંગઠન) કમલ સેને જણાવ્યું હતું કે પાર્ટીના પદો પર નવી નિમણૂંક માટેના આદેશ રવિવારે જાહેર કરવામાં આવ્યા છે. પાંચ ઉપાધ્યક્ષો અમરીક સિંહ અલીવાલ, પ્રેમ મિત્તલ, ફરઝાના આલમ, હરજિંદર સિંહ ઠેકેદાર અને સંજય ઈન્દર સિંહ બાની ચહલ છે. જનરલ સેક્રેટરીઓમાં રાજવિંદર કૌર ભાગિકે, રાજિન્દર સિંહ રાજા, પુષ્પિન્દર સિંહ ભંડારી અને સરિતા શર્માનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે રોહિત કુમાર શર્માને મોહાલીના જિલ્લા પ્રમુખ તરીકે અને એડવોકેટ સંદીપ ગોરસીને પીએલસીના લીગલ સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપે સુખદેવ સિંહ ઢીંડસાની આગેવાની હેઠળની SAD (યુનાઇટેડ) અને અમરિંદર સિંહની આગેવાની હેઠળની પંજાબ લોક કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે, જેમણે ગયા વર્ષે મુખ્યપ્રધાન તરીકે બિનસત્તાવાર રીતે બહાર નીકળ્યા પછી કોંગ્રેસ છોડી દીધી હતી. રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચે મતગણતરી થશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમરિંદર સિંહ સાથે રહેવાથી ભાજપને ફાયદો થશે

પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે હોવાનો ફાયદો પણ પાર્ટીને મળવાની આશા છે. કારણ કે તેઓ વારંવાર રાષ્ટ્રીય સુરક્ષા અને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસે (Congress) પીએમની સુરક્ષા સાથે રમત રમી છે. તેમણે કહ્યું કે પંજાબના લોકોએ જોયું છે કે કેવી રીતે નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની દરેક મુદ્દા પર લડી રહ્યા છે.

ભાજપ સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખશે

બેઠકોની વહેંચણીને લઈને ત્રણેય પક્ષોના બે-બે નેતાઓની સમિતિ બનાવવામાં આવી છે, જે ટૂંક સમયમાં બેઠકોની સંખ્યા અને નામ અંગે ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ, કુલ 117 બેઠકોમાંથી ભાજપ અડધાથી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી રહ્યું છે અને બાકીની બેઠકો સહયોગી પક્ષો માટે છોડવામાં આવશે. ભાજપનું ધ્યાન શહેરી અને હિંદુ, દલિત પ્રભુત્વવાળી બેઠકો પર છે.

 

આ પણ વાંચો : ચૂંટણી એ સરકાર બદલવાનું માધ્યમ નથી, સમાજ અને દેશમાં પરિવર્તન લાવવાની તક: અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારની કરી શરૂઆત

આ પણ વાંચો : UP Assembly Election: રામ મંદિરને લઈને અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન, કહ્યું- દર્શન પણ કરશે, દક્ષિણા પણ આપશે

Next Article