હરીશ રાવતના નિવેદન બાદ મનીષ તિવારીએ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- પહેલા આસામ, પછી પંજાબ અને હવે ઉત્તરાખંડ…

|

Dec 29, 2021 | 4:51 PM

મનીષ તિવારી પણ કોંગ્રેસના જૂથ (G-23) ના એક એવા નેતાઓમાંના એક છે જેમણે ગયા વર્ષે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં ફેરફારની માગ કરી હતી. આ પત્ર બાદ પાર્ટીમાં મતભેદનો મામલો સામે આવ્યો હતો.

હરીશ રાવતના નિવેદન બાદ મનીષ તિવારીએ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- પહેલા આસામ, પછી પંજાબ અને હવે ઉત્તરાખંડ...
Manish Tewari -Congress Leader

Follow us on

કોંગ્રેસના (Congress) મહાસચિવ હરીશ રાવતે (Harish Rawat) બુધવારે પાર્ટી પર અસહકારનો આરોપ લગાવ્યા બાદ વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ (Manish Tewari) હવે કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું છે. ટ્વિટર પર કટાક્ષ કરતા તેણે લખ્યું કે ‘પહેલા આસામ, પછી પંજાબ અને હવે ઉત્તરાખંડ… આ પહેલા પણ મનીષ તિવારીએ કન્હૈયા કુમારના પાર્ટીમાં જોડાયા બાદ નવજોત સિંહ સિદ્ધુ અને કોંગ્રેસ નેતૃત્વને લઈને પંજાબ યુનિટમાં ચાલી રહેલા વિવાદ પર સવાલ ઉઠાવ્યા છે.

મનીષ તિવારી પણ કોંગ્રેસના જૂથ (G-23) ના એક એવા નેતાઓમાંના એક છે જેમણે ગયા વર્ષે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં ફેરફારની માગ કરી હતી. આ પત્ર બાદ પાર્ટીમાં મતભેદનો મામલો સામે આવ્યો હતો. આ પહેલા કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે હરીશ રાવતને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું, “તમે જે વાવો છો તે લણશો. હરીશ રાવતજીને ભવિષ્યની યોજનાઓ (જો કોઈ હોય તો) માટે શુભેચ્છાઓ.”

અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા ત્યારે હરીશ રાવત પંજાબ કોંગ્રેસના પ્રભારી હતા. હરીશ રાવતે બુધવારે આવતા વર્ષની શરૂઆતમાં પ્રસ્તાવિત ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય વર્તુળોમાં હંગામો મચાવ્યો હતો અને કહ્યું હતું કે પાર્ટી સંગઠન તેમની સાથે અસહકાર કરી રહ્યું છે અને તેમનું મન બધું જ છોડી દેવાનું કહી રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉત્તરાખંડ કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ રાવતે ટ્વીટ કર્યું, છે ને આ વિચિત્ર વાત, ચૂંટણી રૂપી દરિયો તરવાનો છે, સંગઠનનું માળખું મોટાભાગની જગ્યાએ સહકારનો હાથ લંબાવવાને બદલે મોં ફેરવી રહ્યું છે અથવા નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. તેણે લખ્યું, જેના આદેશ પર મારે તરવું છે તેમના પ્રતિનિધિઓ મારા હાથ-પગ બાંધી રહ્યા છે.

મારા મનમાં ઘણી વખત વિચાર આવે છે કે હરીશ રાવત, હવે બહુ થયું, હું ઘણો તર્યો છું, હવે આરામ કરવાનો સમય છે. ત્યારે ગુપ્ત રીતે મનના એક ખૂણેથી અવાજ ઉઠે છે કે ‘न दैन्यं न पलायनम्’. મને વિશ્વાસ છે કે ભગવાન કેદારનાથજી આ સ્થિતિમાં મને માર્ગદર્શન આપશે.

પૂર્વ મુખ્યમંત્રી રાવતને ઉત્તરાખંડમાં કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. તેમની નારાજગી એ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે નવી મુશ્કેલી ઉભી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી નેતૃત્વએ હરીશ રાવત સાથે વાત કરી છે અને તેઓ શુક્રવારે દિલ્હીમાં પૂર્વ નિર્ધારિત બેઠકમાં પણ ભાગ લેશે.

 

આ પણ વાંચો : UP: પ્રિયંકા ગાંધીએ અયોધ્યા મંદિર માટે જમીન ખરીદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- દલિતોની જમીન પર કરવામાં આવ્યો કબજો

આ પણ વાંચો : Omicron: કોવિડ-19ના પહેલા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનું જોખમ ઓછું, દક્ષિણ આફ્રિકાના નવા અભ્યાસમાં થયો ખુલાસો

Published On - 5:23 pm, Thu, 23 December 21

Next Article