RJD વડા લાલુ યાદવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂર્ણિયામાં આયોજિત મહાગઠબંધન રેલીને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા લાલુ યાદવે કહ્યું કે, અમે અને નીતીશ એક થઈ ગયા છીએ. કોઈ ભ્રમમાં ન રહો. આ ગઠબંધન વિચારધારાનું છે. આ પછી બિહારમાં 2024-2025 માં ચૂંટણી રેકોર્ડ તૂટી જશે. લાલુએ કહ્યું કે આપણે બંધારણ અને દેશને બચાવવો છે. બિહારે આગળ વધવું પડશે.
આ સાથે લાલુ યાદવે પણ ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. લાલુએ ટ્વીટ કર્યું – આપણે દેશને બચાવવો છે, બાબાસાહેબ આંબેડકરનું બંધારણ બચાવવું છે, બિહાર અને દેશને આગળ લઈ જવો છે, લઘુમતીઓનું રક્ષણ કરવું છે. હવે નરેન્દ્ર મોદીની સરકાર જવાનો સમય આવી ગયો છે.
#WATCH हमें देश को बचाना है, बाबा साहेब अंबेडकर के संविधान को बचाना है, बिहार और देश को आगे बढ़ाना है, अल्पसंख्यकों की रक्षा करनी है। अब नरेंद्र मोदी की सरकार के जाने का समय आ गया है: पूर्णिया में महागठबंधन की जनसभा में वीडियो कॉन्फ्रेंसिंग के जरिए RJD अध्यक्ष लालू प्रसाद यादव pic.twitter.com/STvjBFBHNq
— ANI_HindiNews (@AHindinews) February 25, 2023
લાલુ યાદવના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું- બિહારમાં જે રીતે ગઠબંધન છે. તેવી જ રીતે દેશમાં પણ ગઠબંધન છે. જેમાં અલગ-અલગ પાર્ટીઓ છે. જેની વિચારધારા અલગ છે. દરેકનો ધ્વજ અલગ છે. આ પછી પણ આપણે બધા એક છીએ. આ આપણી તાકાત અને આપણી ઓળખ છે. તેજસ્વી યાદવે કહ્યું- તમારા આશીર્વાદથી લાલુ યાદવ હવે ઠીક છે. તે સ્વસ્થ થઈને આપણી વચ્ચે આવ્યા છે. તેઓને હેરાન કરવામાં આવ્યા હતા. પરંતુ તે ગભરાયા નહીં, સાંપ્રદાયિક શક્તિઓ સામે ઘૂંટણિયે પડ્યા નહીં.
આ સાથે તેજસ્વી યાદવે 10 લાખ નોકરીઓના વાયદા પર કહ્યું કે, અમે ટૂંક સમયમાં 10 લાખ લોકોને નોકરી આપવાનું વચન પૂરું કરવા જઈ રહ્યા છીએ. તમે લોકો બસ ધીરજ રાખો. જો કોઈ તમને ગેરમાર્ગે દોરે છે, તો ગેરમાર્ગે દોરાશો નહીં. અમારી સરકાર તેના પર ગંભીરતાથી કામ કરી રહી છે.
આ સાથે પીએમ મોદી પર નિશાન સાધતા તેજસ્વી યાદવે કહ્યું- 2014માં આ રંગભૂમિ મેદાન પર નરેન્દ્ર મોદીએ બિહારને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. 2 કરોડ નોકરીઓ અને પાકાં મકાનોનું વચન આપ્યું હતું પરંતુ કોઈ કામ થયું નથી. હમણાં જ આવેલા કેન્દ્રના બજેટમાં પણ બિહારને કશું મળ્યું નથી.
બિહારના એક દિવસીય પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ લાલુ નીતિશના ગઠબંધન પર કટાક્ષ કરતા કહ્યું- આરજેડી અને જેડીયુની મિત્રતા તેલ અને પાણી જેવી છે, બંને વચ્ચે કોઈ મેળ નથી. બંને માત્ર મતલબ માટે સાથે આવ્યા છે. અમિત શાહે કહ્યું કે નીતીશ કુમારે પીએમ બનવા માટે બિહારનું વિભાજન કર્યું છે. જે બાદ લાલુ યાદવે અમિત શાહનું નામ લીધા વગર મહાગઠબંધન માટે આ વાતો કહી છે.
Published On - 4:32 pm, Sat, 25 February 23