
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીના મેદાનમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા સક્રિય બની ગયા છે. ગુજરાતમાં ભાજપ હજુ પણ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં લાગી છે. જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે.
राजनीति में युवाओं की भागीदारी ज़रूरी है। गुजरात में हमारे प्रदेश अध्यक्ष एवं लोकप्रिय युवा श्री गोपाल इटालिया को सूरत की कतारगाम विधानसभा से ओर प्रदेश महामंत्री श्री मनोज सोरठिया को करंज विधानसभा से गुजरात की जनता चुनाव लड़ाएगी, दोनों युवाओं को मैं शुभकामनाएँ देता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 9, 2022
ગુજરાત વિધાનસભા ઇલેક્શનની અંદર સુરત આવનારા દિવસની અંદર એપી સેન્ટર બની રહે તો નવાઈ નહીં. કારણકે વરાછા અને કતારગામ બેઠક ઉપર પાટીદાર ગઢની અંદર રસાકસી જોવા મળી રહી છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગોપાલ ઇટાલીયા પાટીદાર વિસ્તાર એટલે કે કતારગામ વિસ્તાર બેઠક પર દાવેદારી નોંધાવી છે. આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ટ્વીટ કરીને સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. ત્યાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા કરંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. લાંબા સમયથી ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ હતું, ત્યારે આ સવાલ પરથી આજે પડદો ઉચકાયો છે.
જે રીતે માહિતી મળી રહે છે તે પ્રમાણે આવનારા દિવસોની અંદર ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી પ્રચાર કરવામાં કોઈ કચાસ નહીં રાખે અને વરાછા બેઠકની અંદર પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની નિમણૂક થતાની સાથે જ પ્રચાર જોર શોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
Published On - 10:18 am, Wed, 9 November 22