
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જીત મેળવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ સાથે જ કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ ટિકિટ કપાઈ જવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દિવસોમાં ગુજરાતમાં નારાજ નેતાઓ અને તેમના સમર્થકો બલવો કરી રહ્યા છે આવી જ ઘટના બોટાદમાં જોવા મળી રહી છે અને ઘનશ્યામ વિરાણીના સ્થાને સૌરભ પટેલને જ યથાવત્ રાખવામાં આવે તેવી માંગણી થઈ રહી છે આ માંગણી સાથે તેમના સમર્થકો કમલમ જઇને સી.આર. પાટીલને રજૂઆત કરશે.
બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સંગઠનમાં મહત્વના હોદેદારો અને કાર્યકરો ગાંધીનગર જવા એકઠા થયા હતા. તો બોટાદ કાર્યાલય ખાતે ભાજપ હાઈ કમાન્ડ દ્રારા ઉમેદવાર બદલવામાં આવે તેવી જિલ્લા ભાજપ પ્રમુખને 2000થી વધુ લોકોએ રજુઆત કરી હતી અને સૌરભ પટેલના સ્થાને ઘનશ્યામ વિરાણીને તેમજ ગઢડામાં શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકીટ કાર્યકરો નારાજ થયા છે અને ગાંધીનગર સી.આર.પાટીલને રજૂઆત કરવા આગેવાનો રવાના થયા છે. ઘનશ્યામ વિરાણી બોટાદ વિસ્તાર માટે નવા છે એટલે સૌરભ પટેલની ટિકિટ આપે તેવી માંગણી સમર્થકો કરી રહ્યા છે અને કહ્યું હતું કે જો ભાજપ સૌરભ પટેલને ટિકિટ નહીં આપે તો આ બેઠક ભાજપ ગુમાવશે તેમ પણ કહ્યું હતું.
ભાવનગરના મહુવા બેઠક પર શીવા ગોહિલનું નામ જાહેર થતા મહુવા ભાજપમાં ભડકો થયો હતો અને ક્ષત્રિય સમાજે ભાજપ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. મહુવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સભ્યો, ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. આર.સી મકવાણાની ટિકિટ કાપી શીવા ગોહિલને ટિકિટ આપતા ભાજપના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપની પ્રથમ યાદીમાં કેટલાક નેતાઓની ટિકિટ કપાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે. ભાજપના કટ થયેલા નેતાઓ ભાજપ સામે રણશિગુ ફૂંકી રહ્યા છે અને કેટલાકે તો યાદીમાંથી નામ કપાતાની સાથે જ આમ આદમી પાર્ટીનો સાથ લઈ લીધો હતો તો ઘણાએ રાજીનામા ધરી દીધા હતા. તો વાઘોડિયા, કરજણ, પાદરા, બોટાદ સહિત જેમના નામ કપાયા છે તે ઉમેદવારો તેમજ તેમના સમર્થકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.