Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે . જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.
ભાજપના બળવાખોરો જીતી જશે તો પણ પક્ષમાં ફરી સ્થાન નહીં મળે” આ નિવેદન આપ્યું છે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે. સીઆર પાટીલે બળવાખોરને ચેતવણી આપતા કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે, અશિસ્તતા ક્યારેય ચલાવી નહીં લઈએ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વિરોધમાં જનાર 3-4 લોકો જીત્યા પરંતુ અમે તેમને પક્ષમાં લીધા નથી. આ ચૂંટણીમાં પણ બળવાખોરો જીતે તેવી કોઈ શક્યતા નથી, પરંતુ જીતે તો પણ અમે તેને પાછા લેવા તૈયાર નથી.
અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. તેમજ 05 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેના પગલે મોડી સાંજ સુધી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લાગેલા હોર્ડિંગ અને બેનર દૂર કરવામાં આવી રહ્યા છે.જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થવાનું છે.બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે.ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે.બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે.મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે.37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે.સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે.એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે.તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે..
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં
બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કામાં કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. 40 હજાર 66 જેટલા VVPAT પણ ઉપયોગ કરવામાં આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે જંગ જામશે. 2.51 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે . જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.
ગુજરાત રાજ્યના બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પૂર્ણ ; 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવાર#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/F9ec2XScrc
— Tv9 Gujarati (@tv9gujarati) December 3, 2022
ગાંધીનગરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બીજા તબક્કામાં જંગી મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે. સી આર પાટીલે પ્રથમ તબક્કામાં મતદાન કરવા બદલ જનતાનો આભાર માન્યો હતો. સાથે જ દાવો કર્યો હતો કે બીજા તબક્કામાં પણ લોકો ભાજપને જ પસંદ કરશે.
ગાંધીનગર; બીજા તબક્કામાં જંગી મતદાન માટે સી .આર પાટીલે કરી અપીલ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/yu7q0I0S0S
— Tv9 Gujarati (@tv9gujarati) December 3, 2022
મતદાન જાગૃતિ માટે મહેસાણામાં એક પેટ્રોલ પંપના સંચાલકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. 5 ડિસેમ્બરે મતદાનના દિવસે પેટ્રોલ,ડીઝલ અને CNG પૂરાવનારને લીટરમાં એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે પેટ્રોલ પંપના સંચાલકે જાહેરાત કરી છે. પેટ્રોલ ભરાવા આવનાર વ્યકિતને મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવવું પડશે. તો જ પેટ્રોલ, CNG અને ડીઝલમાં સંચાલક ગિરીશ રાજગોર ડિસ્કાઉન્ટ આપશે.
મતદારોને આકર્ષવા માટે માટે નેતાઓ કોઈપણ હદે જઈ શકે છે. જાહેરમાં આક્રોશિત થવાની સાથે-સાથે રડવાનું પણ ચૂકતા નથી. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ અમદાવાદના જમાલપુરમાં સભા સંબોધતી વખતે રડી પડ્યા. તેમણે ભાવુક થઈને AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલાને મત આપવા અપીલ કરી. ઓવૈસીએ અલ્લાહ પાસે ભીખ માગતા કહ્યું કે- તે સાબિરને ધારાસભ્ય બનાવી દે જેથી જિંદગીમાં ફરીથી કોઈ બિલ્કિસને ન જોઈ શકીએ અને કોઈ બાળકને ચોકમાં લાવીને લાતો મારીને તેનું અપમાન ન થાય. સાંભળો ઓવૈસીએ રડતા-રડતા શું કહ્યું.
Asaduddin Owaisi, AIMIM President, gets emotional during election campaign address in #Ahmedabad #Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/J73d9mxOix
— Tv9 Gujarati (@tv9gujarati) December 3, 2022
વડોદરાની સાવલી બેઠક પર ભાજપના ઉમેદવારે બીજા તબક્કા માટે પ્રચાર કર્યો. અંતિમ તબક્કામાં કેતન ઇનામદારની જંગી રેલી યોજાઇ. સાવલી ડેસરના સમગ્ર વિધાનસભા વિસ્તારને આવરી લે તે પ્રમાણે રેલી યોજવામાં આવી. કેતન ઇનામદારે જણાવ્યુ કે 50 હજારથી વધુ મતોથી તેમની જીત થશે.
ગુજરાતના ખેડામાં ભાજપનો પ્રચાર કરતાં યોગી આદિત્યનાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠાવ્યા. યોગીએ જનતાને પુછ્યું કે શું કૉંગ્રેસ કે આપ પાર્ટી રામ મંદિરનો મુદ્દો ઉકેલી શકતી હતી, શું તેઓ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી શકતા. શું તેઓ રોજગારી આપી શકવાના છે, તો પછી તેમના પર ભરોસો કેમ મુકવાનો, યોગીએ જનતાને 8 ડિસેમ્બરે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનાવવા માટે અપીલ કરી. યોગી આદિત્યનાથે કહ્યું કે આસ્થાનું સન્માન અને સુરક્ષાની ગેરેન્ટી માત્ર ભાજપ આપી શકે છે.
UP CM Yogi Adityanath addresses a public gathering in #Kheda ;
‘BJP does work for the poor’: Yogi Adityanath#Gujarat #TV9News pic.twitter.com/aov9YKY56W— Tv9 Gujarati (@tv9gujarati) December 3, 2022
ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક જીતવા ભાજપ છેલ્લી ઘડીએ પણ પ્રચારમાં પૂરું જોર લગાવી રહી છે. કલોલમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો રોડ શો યોજાયો. ભાજપના ઉમેદવાર બકાજી ઠાકોર માટે હર્ષ સંઘવીએ પ્રચાર કર્યો. આપને જણાવી દઈએ કે,છેલ્લી 3 ટર્મથી કલોલ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા ભાજપના દિગ્ગજ નેતાઓનો પ્રચાર માટે ઉતર્યા છે.
અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કલોલ બેઠક પર પોલીસ પરેશાન કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું કે, સરકારનો હાથો બનીને કામ ન કરો. કોંગ્રેસની સરકારમાં સરનામા ન બદલાય એટલી મર્યાદા રાખો. સાથે જ દાવો કર્યો હતો કે, કલોલ બેઠક અમે રેકોર્ડબ્રેક મતોથી જીતીશું.
બીજા તબક્કાના મતદાનને બે દિવસની વાર છે, ત્યારે પ્રથમ તબક્કામાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. પ્રથમ તબક્કાના મતદાન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ દાવો કર્યો કે, કોંગ્રેસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 89માંથી 65 બેઠકો જીતી રહી છે. જેની પાછળ ઉમેદવાર સહિત રાજ્યના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓની મહેનત જોવા મળી રહી છે.. ભારત જોડો યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણી પર બારીકાઇથી નજર રાખી હોવાનો દાવો રઘુ શર્માએ કર્યો.
અમદાવાદના સરખેજમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહોમ્મદ અઝહરૂદ્દીને પ્રચાર કર્યો. વેજલપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ સાથે મહોમ્મદ અઝહરૂદ્દીને રોડ-શો યોજ્યો. પૂર્વ સાંસદ મહોમ્મદ અઝરૂદ્દીન તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ છે. મહોમ્મદ અઝહરૂદ્દીન વેજલપુર બાદ જમાલપુર-ખાડિયા અને દરિયાપુર બેઠક માટે પણ કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કરશે.
સુરત AAPના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરંજ બેઠકના AAPના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, EVMનો ફોટો મૂકી ઝાડું ચાલે છે તેવુ લખાણ લખ્યું હતુ. જે બાદ નોડલ અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અધિકારીની ફરિયાદના આધારે મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે..અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર ડૉ.ધવલ પટેલે કહ્યું કે 4 ડિસેમ્બરે EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ હશે. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે.
વિધાનસભાની બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના કેટલાક ઉમેદવારોએ વિવાદીત નિવેદનબાજી કરી. તો કેટલાક ઉમેદવારો સામે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી થઈ. તો અમુક ઉમેદવારોને ધમકી મળી છે. અમદાવાદમાં જમાલપુરના AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે. જો કે આ પહેલા જ ભાજપે લોકસભા ચૂંટણી 2024 ની તૈયારી શરૂ કરી છે. 5 ડિસેમ્બરે ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે તેવી માહિતી મળી રહી છે.
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ મતદારોને આકર્ષવા અંતિમ ઘડીનો જોરશોરથી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચેનપુર ગામથી ઓગણજ ગામ સુધી ભવ્ય રોડ-શો કર્યો હતો. જયારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અરવલ્લીના મોડાસામાં રોડ શો યોજ્યો હતો. તો વડોદરામાં રાવપુરાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લની બાઈક રેલી યોજાઈ. આ તરફ માંજલપુરમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ યોગેશ પટેલ માટે પ્રચાર કર્યો હતો..બીજી તરફ અમદાવાદના દસક્રોઈના ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલે વિશાળ રોડ શો યોજયો હતો.
સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ નોંધાયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ કોર્પોરેટરની હાલ પોલીસે અટકાયત કરી છે. ભાજપ કોર્પોરેટર શરદ પાટીલે મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં. 28ના કોર્પોરેટર છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને હવે બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી પણ વધી છે.અવારનવાર મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાઇ રહ્યો છે..ત્યારે ગાંધીનગરના અડાલજમાંથી પણ ફરી વિદેશી દારૂની હેરાફીરનો પર્દાફાશ થયો છે. અડાલજના બાલાપીરની દરગાહ નજીક આવેલા મકાનમાંથી ગાંધીનગર LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે 500 પેટી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ ઓબીસી મુખ્યપ્રધાન અને ત્રણ નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. જેને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે. તેમણે સત્તાવાર જાહેરાતનો ઈનકાર કર્યો પણ સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોને સમર્થન પણ આપ્યું. તેમણે કહ્યું કે પાર્ટીએ કોઈ એવો નિર્ણય નથી લીધો અને કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં નથી આવી. પરંતુ લોકશાહીમાં જેના માથા વધારે હોય અને જેનું જનસમર્થન વધારે મળે તેના સીએમ બની શકે. સરકાર બનાવવામાં જે સમાજ સાથે આપે તેના મુખ્યપ્રધાન બને તો કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો ઓબીસી મુખ્યપ્રધાનની ચર્ચા કરે તેમાં કંઈ ખોટું પણ નથી.
રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં ભલે આદર્શ આચરણ કે નૈતિકતાની વાતો કરતા હોય, પરંતુ મતદારોને આકર્ષવા કોઈ પણ હદે જઈ શકે છે. આણંદ જિલ્લાના બોરસદમાં કોંગ્રેસના ઉમદેવાર રાજેન્દ્રસિંહ પરમારની સભાના મંચ પર ડાન્સરોએ ઠુમકા લગાવ્યા. બોરસદના દાવોલ ગામે યોજાયેલી સભામાં ડાન્સરોના અશ્લીલ ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સભામાં સામેલ યુવકો અશ્લીલ ડાન્સ પર ચિચિયારીઓ પાડતા હતા. કોંગ્રેસની સભાના મંચ પરથી વાયરલ થયેલા વીડિયોને પગલે અનેક સવાલ ઉભા થયા છે.
Dancers entertain people during #Congress‘s event in Borsad; video goes viral#GujaratElections2022 #GujaratAssemblyPolls #TV9News pic.twitter.com/MNzGqOH4UV
— Tv9 Gujarati (@tv9gujarati) December 3, 2022
પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાયા છે. ભાજપના ઉમેદવાર ખુલ્લેઆમ લોકોને બોગસ મતદાન કરવાની વાત કરી રહ્યાં છે. લોકોને બોગસ મતદાન કરવા અપલી કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક જાહેર સભા સંબોધતા મતદારોને ખુલ્લેઆમ કહી રહ્યાં હતા કે, બુથની અંદર બોગસ કરો, કે જે કરો તે, તમારા કેટલા વોટ છે, તે 3000 વોટ પાડી જ દેવાના છે, પરિણામ નક્કી જ છે. Tv9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.
અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો પ્રચારના અંતિમ દિવસે ભવ્ય રોડ-શો આયોજિત કરવામાં આવ્યો છે. ચેનપુર ગામથી CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો શરુ થયો. આ રોડ શો ઓગણજ ગામ સુધી યોજવામાં આવ્યો છે. ભવ્ય રોડ શોમાં સીએમે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળી રહ્યા છે.
સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. ભાજપ કોર્પોરેટર શરદ પાટીલે મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં.28ના કોર્પોરેટર છે.
કેન્દ્રીય પ્રધાન પરૂષોત્તમ રૂપાલાએ મહેસાણામાં સભાને સંબોધતા ભાજપ ઉમેદવાર મુકેશ પટેલને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરતા વધુ મતે જીતાડવા આહવાન કર્યું. રૂપાલાએ નર્મદા યોજના અને મેધા પાટકર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રૂપાલાએ કહ્યું કે નર્મદા યોજનાની માગણી કરતું પોસ્ટકાર્ડ પણ કોંગ્રેસના કોઈ નેતાએ લખ્યું નથી. ગુજરાત અને નર્મદા યોજના વિરોધી કોંગ્રેસને જનતા બરાબર પાઠ ભણાવે તેવી રૂપાલાએ અપીલ કરી.
છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ એડીચોટીનું જોર લગાવશે. નેતાથી લઇને અભિનેતા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયામાં રોડ શોથી થશે. બાદમાં દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જોષી અને ફિરોજ ઈરાની રોડ શો, જાહરે સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરશે. યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે. તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો કરશે. પરષોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો કરશે. આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોજ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
Published On - 9:47 am, Sat, 3 December 22