Banaskantha : કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે

|

Apr 24, 2022 | 11:48 AM

મણિલાલ વાઘેલાએ (Manilal Vaghela) આ પહેલા 35 વર્ષ સુધી કોંગ્રેસમાં (Congress) સેવા આપી ચુક્યા છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મણિલાલ વાઘેલા હવે ભાજપનો સાથ આપશે.

Banaskantha : કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે
Former Congress MLA Mani Vaghela to join BJP soon

Follow us on

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઇને હવે ગુજરાતના (Gujarat) રાજકારણમાં રોજ કઇક નવી હલચલ જોવા મળી રહી છે. ગુજરાતના ત્રણ મોટા પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપમાં હવે પક્ષપલટાની મૌસમ પણ શરુ થઇ ગઇ છે. આજે ઉત્તર ગુજરાત વધુ એક દિગ્ગજ નેતા કેસરિયા કરવા જઇ રહ્યા છે. મણિલાલ વાઘેલા (Manilal Vaghela) આજે સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. અગાઉ મણિલાલે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ હવે તે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે.

કોંગ્રેસની કાર્યશૈલીથી હતા નારાજ

મણિલાલ વાઘેલાએ આ પહેલા 35 વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા આપી ચુક્યા છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મણિલાલ વાઘેલા હવે ભાજપનો સાથ આપશે. કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ મણિલાલે નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે ટૂંકા રાજકીય સન્યાસ બાદ, હવે તેઓએ કેસરિયા કરવાનો નિર્ણય કર્યો છે. કેસરિયા કરતા પહેલા અગાઉ મણિલાલે દિલ્લીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ કરી હતી. તેઓની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવતી હતી અને હવે આજે મણિલાલ વાઘેલા સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મણિલાલ વાઘેલાનો રાજકીય અનુભવ

મણિલાલના રાજકીય અનુભવની વાત કરીએ તો તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી મણિલાલે કોંગ્રેસ માટે સેવા આપી હતી અને 2012માં ભાજપના કેબિનેટ પ્રધાનને હરાવીને વડગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પક્ષ પલટાની મોસમમાં પણ કોંગ્રેસ સાથે અડીખમ રહેનાર મણિલાલની કેન્દ્રીય નેતાગીરીએ નોંધ લીધી હતી અને દિલ્લી બોલાવી સન્માન કર્યું હતું. જોકે પાર્ટીએ વચન આપવા છતાં તેઓને 2017માં વડગામ બેઠક પર મેન્ડેટ આપ્યું ન હતુ. છતાંય તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા અને અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો. જોકે સતત અવગણના અને પ્રદેશ નેતાગીરીથી નારાજ થતાં 2021માં તેઓએ કોંગ્રેસને રામ રામ કહી દીધા હતા અને હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરીયા કરશે.

આ પણ વાંચો-Surat: VNSGUમાં પેપર લીક કેસમાં તપાસ કમિટીએ વધુ 8 વ્યક્તિના નિવેદન નોંધ્યા, આવતીકાલે રિપોર્ટ સુપ્રત કરાશે

આ પણ વાંચો-Jamnagar: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ શરુ, ભાજપે શરુ કરેલા પ્રચાર સામે કોંગ્રેસનો વિરોધનો પ્રહાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article