વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ‘આપ’ના 3 હજાર કાર્યકર ભાજપમાં જોડાશે

આજે આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. આ તમામ કાર્યકરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:18 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે હવે કમર કસી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આપ દ્વારા પણ ચૂંટણીની રણનીતિ ઘડવાની શરુઆત થઇ ગઇ છે. ચૂંટણી પહેલા હજુ તો આપ (AAP) ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા જઇ રહ્યુ છે. જો કે ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપ (BJP)માં જોડાવાના છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઇ છે. ગુજરાતના રાજકારણમાં પણ છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની જાણે મોસમ શરૂ થઈ છે. હવે માહિતી સામે આવી છે કે, આજે આમ આદમી પાર્ટીના ત્રણ હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. આ તમામ કાર્યકરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ સૌથી ફટકો ગણી શકાય. કારણકે અગાઉ પણ વિજય સુંવાળા સહિતના ઘણા જાણીતા આગેવાન પણ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભાજપનો સથવારો લઇ ચુક્યા છે.

બીજી તરફ કાર્યકરો ભાજપમાં જોડાય તે પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું, આપના કોઈ નેતાઓની ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે અને જે લોકો ભાજપમાં જોડાવાના છે તે તમામ કાર્યકરોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. ત્યારે હવે આ વાત કેટલી સાચી અને કેટલી અસત્ય એતો વિધાનસભાની ચૂંટણીમાં જ પરિણામ થકી જણાશે.

આ પણ વાંચો-

Bhavnagar: જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પાલિતાણા તાલુકાની શાળાના બાળકોનો ડંકો, ચેકડેમમાં પ્રેક્ટિસ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધા જીતી

આ પણ વાંચો-

Rajkot: સુજલામ સુફલામ જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોને સહભાગી બનવા જિલ્લા કલેકટરે કરી અપીલ

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">