વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

|

Feb 10, 2022 | 11:32 PM

કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
Students - Symbolic Image

Follow us on

કેનેડા (Canada)ના મોન્ટ્રિયાલ શહેરમાં આવેલી ત્રણ કોલેજો અચાનક બંધ થઇ જતા લગભગ 2,000 ભારતીય વિદ્યાર્થી (Student)ઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ લોકો ભારતના પંજાબ (Punjab) અને ગુજરાત (Gujarat)ના છે. લાખો રૂપિયાનો કરજો કરી એક સારા ભવિષ્ય માટે આ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા આવેલા છે. આ ત્રણ કોલેજો (Colleges)માં સીસીએસક્યૂ, સીડીઈ અને એમ કોલેજો છે. કોલેજોનું કહેવું છે કે કોરોનાના કારણે એમની આવકમાં ધરખમ ઘટાડો થઇ જવાથી એમને આ પગલાં લેવા પડ્યા છે.

આ કોલેજોએ એક સ્ટુડન્ટ પાસેથી 15,000 થી 29,500 ડોલરની ફી વસુલ કરી છે, જે ભારતના લગભગ 9 લાખથી લઇ 18 લાખ રૂપિયા થાય છે. આ સ્ટુડન્ટોએ કેનેડાના એજ્યુકેશન મંત્રી, ભારતના એમ્બેસેડર (India Ambassador) અને લોકલ એમપીને એક પિટિશન આપી છે. આ આખું પ્રકરણ હાલ કોર્ટમાં છે, તેથી પ્રકરણનો નિવેડો જલ્દી આવવાની શક્યતા નહીંવત છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

ગુજરાતી ઈન કેનેડા નામનું ગ્રુપ સમય સમય પર ભારતમાં રહેતા સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓને સચેત રહેવાની સલાહ આપતું રહે છે. કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

ભારતથી કેનેડા ભણવા આવવા માગતા સ્ટુડન્ટ અને તેમના વાલીઓને જણાવવાનું કે કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં જો તમારા કોઈ ઓળખીતા કેનેડામાં રહેતા હોય તો એમની પાસેથી શક્ય હોય એટલી માહિતી મેળવવી જોઈએ. કોલેજ અંગેની તમામ માહિતી મેળવી અને ત્યારબાદ જ પ્રવેેેશ પ્રક્રિયા, ફી વગેરે કાર્યવાહી કરવી જોઈએ.

 

આ પણ વાંચો : Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

આ પણ વાંચો : રક્ષા મંત્રી રાજનાથ સિંહે રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમાં ભાગ લીધો, કહ્યું દેશની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે

Published On - 10:50 pm, Thu, 10 February 22

Next Article