Sharbati Wheat: શા માટે છે શરબતી ઘઉં એટલા ખાસ, જાણો તેની ખાસિયત અને વિશેષતાઓ

|

Apr 10, 2022 | 7:56 AM

શરબતી ઘઉં (Sharbati Wheat)ને ગોલ્ડન ગ્રેન પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે. ઉપરાંત, તે હથેળી પર રાખતા વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે. તો ચાલો જાણીએ તેની ખેતી વિશે.

Sharbati Wheat: શા માટે છે શરબતી ઘઉં એટલા ખાસ, જાણો તેની ખાસિયત અને વિશેષતાઓ
Wheat (File Photo)

Follow us on

ઘણા ખેડૂતો (Farmers) ફરિયાદ કરતા હોય છે કે તેમને ઘઉંની સારી ઉપજ મળતી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોએ ઘઉંની વિવિધ જાતો ઉગાડવી જોઈએ જેથી કરીને તેઓ સારો નફો પણ મેળવી શકે. આજે આપણે જે ઘઉં વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર દેખાવમાં જ નહીં પરંતુ ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક છે અને ખેડૂતોને બમ્પર નફો પણ આપે છે. શરબતી ઘઉં (Sharbati Wheat)ને ગોલ્ડન ગ્રેન પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે. ઉપરાંત, તે હથેળી પર રાખતા વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે. તો ચાલો જાણીએ તેની ખેતી વિશે.

શરબતી ઘઉંની ખાસિયત તથા વિશેષતાઓ

  1. દેશમાં ઉપલબ્ધ ઘઉંનો સૌથી પ્રીમિયમ પ્રકાર “શરબતી” છે.
  2. સિહોર પ્રદેશ(MP)માં શરબતી ઘઉં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
  3. સિહોર પ્રદેશ(MP)માં કાળી અને કાંપવાળી ફળદ્રુપ જમીન છે જે શરબતી ઘઉંના ઉત્પાદન માટે યોગ્ય છે.
  4. શરબતી ઘઉંને ગોલ્ડન ગ્રેન (Golden Grain)પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે.
  5. ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
    શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
  6. ઉપરાંત, તે વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે.
  7. સિહોર જિલ્લામાં શરબતી ઘઉંનું વાવેતર 40390 હેક્ટર વિસ્તારમાં થાય છે અને વાર્ષિક ઉત્પાદન 109053 મિલિયન ટન છે.

શરબતી ઘઉંની ખેતી

  1. શરબતી એ મધ્યપ્રદેશ માટે જાણીતું શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઘઉં છે.
  2. શરબતીનો લોટ સ્વાદમાં મીઠો અને બનાવટમાં અન્ય કરતા સારો હોય છે.
  3. શરબતીના લોટના દાણા કદમાં મોટા હોય છે.
  4. મધ્યપ્રદેશમાં કાળી અને કાંપવાળી ફળદ્રુપ જમીન છે જે તેના માટે યોગ્ય છે
  5. આ ઘઉં મધ્યપ્રદેશના સિહોર, નરસિંહપુર, હોશંગાબાદ, હરદા, અશોકનગર, ભોપાલ અને માલવા જિલ્લામાં ઉગાડવામાં આવે છે.
  6. તેનો સરેરાશ વાવણી દર 30-35 કિગ્રા/એકર છે.
  7. તેની ઉપજ લગભગ 40-45 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
  8. તે 135 થી 140 દિવસનો પાક છે.
  9. તંદુરસ્ત પાક માટે તેને ઓછામાં ઓછા 2 સિંચાઈની જરૂર પડે છે.
  10. તેના બીજ જાડા અને ચમકદાર હોય છે.

શા માટે શરબતી ઘઉં ખાસ છે

મધ્યપ્રદેશના પ્રદેશોમાં, વરસાદી પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, શરબતી ઘઉંની જમીનમાં પોટાશનું પ્રમાણ વધુ છે અને ભેજ ઓછો છે. પરિણામે, સામાન્ય ઘઉંના લોટની તુલનામાં ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 2% વધે છે. આનાથી શરબતી ઘઉંના પાકમાં જંતુનાશકોના ઉપયોગની જરૂરિયાત ઓછી થાય છે. અને આ જ કારણ છે કે શરબતી ઘઉંના પાકનો લોટ નિઃશંકપણે બાકીના લોટ કરતાં વધુ સારા લોટ તરીકે યોગ્ય છે.

શરબતી ઘઉંના ફાયદા

તે અત્યંત પૌષ્ટિક છે અને તેમાં લગભગ 113 કેલરી, ચરબી (1 ગ્રામ), કાર્બોહાઇડ્રેટ (21 ગ્રામ ડાયેટરી ફાઇબર સહિત), પ્રોટીન (5 ગ્રામ), કેલ્શિયમ (40 મિલિગ્રામ) અને આયર્ન (0.9 મિલિગ્રામ) પ્રતિ 30 ગ્રામ છે. આ સિવાય તે મેગ્નેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ, ઝિંક અને મલ્ટી વિટામિન જેવા પોષક તત્વોથી ભરપૂર છે.

ક્યાં રાજ્યમાં ઉગાડી શકાય આ ઘઉં

શરબતી ઘઉંની “C-306 જાત” સમગ્ર ભારતમાં ઉગાડી શકાય છે.

આ પણ વાંચો: Tech News: Google Play Store દ્વારા ડઝનેક એપ્સ પર મુકાયો પ્રતિબંધ, ગુપ્ત રીતે કરતી હતી યુઝર્સના ડેટાની ચોરી

આ પણ વાંચો: ગ્રેમી એવોર્ડ્સ 2022: BTSના ‘Butter’ પર જસ્ટિન બીબરે આપ્યું રિએક્શન, જુઓ વાયરલ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:54 am, Sun, 10 April 22

Next Article