રુદ્રાક્ષ કેવી રીતે બને છે અને તે ક્યાં મળે છે ? જાણો રુદ્રાક્ષ સંબંધિત તમામ માહિતી

|

Jul 30, 2021 | 6:27 PM

હિન્દુ પરંપરાઓમાં રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રુદ્રાક્ષ એક સંસ્કૃત શબ્દ છે, જે 'રુદ્ર' અને 'અક્ષ' થી બનેલો છે. ભગવાન શિવનું નામ છે 'રુદ્ર' અને 'અક્ષ' એટલે આંસુ.

રુદ્રાક્ષ કેવી રીતે બને છે અને તે ક્યાં મળે છે ? જાણો રુદ્રાક્ષ સંબંધિત તમામ માહિતી
રુદ્રાક્ષનું વૃક્ષ

Follow us on

આપણે ઘણીવાર સાધુ-સંતો અને લોકોના ગળામાં રુદ્રાક્ષની (Rudraksha) માળા જોતા હોઈએ છીએ. લોકો તેના દ્વારા મંત્ર જાપ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રુદ્રાક્ષ ક્યાંથી આવે છે અને તેનું મહત્વ શું છે? ખૂબ ઓછા લોકો રુદ્રાક્ષ વિશે જાણતા હશે. અહી રુદ્રાક્ષને લગતી દરેક માહિતી વાંચો જે તમે જાણવા માંગો છો.

રુદ્રાક્ષ શું છે?

હિન્દુ પરંપરાઓમાં રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેને શિવ તરીકે જોવામાં આવે છે. તેને મણકો પણ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ એક સંસ્કૃત શબ્દ છે, જે ‘રુદ્ર’ અને ‘અક્ષ’ થી બનેલો છે. ભગવાન શિવનું (Lord Shiv) નામ છે ‘રુદ્ર’ અને ‘અક્ષ’ એટલે આંસુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રીતે રુદ્રાક્ષ બને છે

રુદ્રાક્ષ એ એક ફળનું બીજ છે. જે પાકી ગયા બાદ વાદળી રંગનું દેખાય છે. તેથી જ તેને બ્લુબેરી મણકા પણ કહેવામાં આવે છે. આ બીજ અનેક વૃક્ષની જાતોને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. આ પ્રજાતિઓમાં મોટા સદાબહાર અને પહોળા પાંદડાવાળા વૃક્ષોનો સમાવેશ થાય છે.

રુદ્રાક્ષનું વૃક્ષ કેવું દેખાય છે?

રુદ્રાક્ષના વૃક્ષને ઇલિયોકાર્પસ ગેનીટ્રસ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષોની ઉંચાઈ 50 ફુટથી 200 ફુટ સુધીની હોય છે. તે મુખ્યત્વે નેપાળ, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, હિમાલય અને ગંગાના મેદાનોમાં જોવા મળે છે. વિશેષ વાત એ છે કે આપણા દેશમાં રુદ્રાક્ષની 300 થી વધુ જાતિઓ જોવા મળે છે. તેનાથી પણ વિશેષ વાત એ છે કે તે સદાબહાર વૃક્ષ છે, જે ઝડપથી વધે છે. આ વૃક્ષ પર ફળ આવવા માટે 3 થી 4 વર્ષ લાગે છે.

રુદ્રાક્ષના પ્રકારો

પ્રાચીન સમયમાં રૂદ્રાક્ષમાં 108 મુખ હતા, પરંતુ હવે તેની માળા લગભગ 1 થી 21 રેખાઓ ધરાવે છે. તેનું કદ મિલીમીટરમાં માપવામાં આવે છે. રુદ્રાક્ષ નેપાળમાં 20 થી 35 મીમી (0.79 અને 1.38 ઇંચ) અને ઇન્ડોનેશિયામાં 5 અને 25 મીમી (0.20 અને 0.98 ઈંચ) વચ્ચેના કદમાં જોવા મળે છે. તે લાલ, સફેદ, ભૂરા, પીળા અને કાળા રંગોમાં પણ ઉપલબ્ધ છે.

રુદ્રાક્ષનું વૃક્ષ કેવી રીતે રોપવું

એર લેયરિંગ પદ્ધતિ દ્વારા રુદ્રાક્ષનું વૃક્ષ વાવી શકાય છે. આ માટે 3 થી 4 વર્ષ જૂના છોડની શાખામાં, પેપિનમાંથી રીંગ કાપીને તેના પર શેવાળ લગાવવામાં આવે છે. આ પછી, તે 250 માઇક્રોન પોલિથીનથી ઢંકાયેલા રાખવામાં આવે છે. સાથે જ બંને બાજુથી દોરી બાંધવામાં આવે છે, પછી મૂળ લગભગ 45 દિવસમાં આવે છે. ત્યારબાદ તેને કાપીને નવી બેગમાં મૂકવામાં આવે છે. આ રીતે છોડ 15 થી 20 દિવસ પછી વધવા માંડે છે. આ ઉપરાંત નર્સરીમાંથી પણ રુદ્રાક્ષનો છોડ ખરીદી શકાય છે.

રુદ્રાક્ષના ઔષધીય ગુણ

રુદ્રાક્ષમાં ઔષધીય ગુણ પણ છે. ગળામાં તેની માળા પહેરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ઉપરાંત, તેનું તેલ ખરજવું અને ખીલથી રાહત પૂરી પાડે છે. રુદ્રાક્ષ શ્વાસનળીના અસ્થમામાં પણ રાહત આપે છે. આ સિવાય તેને પહેરવાથી ઉંમરની અસર ઓછી થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી હૃદયરોગ અને ગભરાટ વગેરેથી રાહત મળે છે.

 

આ પણ વાંચો : ડાંગરના પાકને વધુ ઉપજ મેળવવા માટે જીવાતો અને રોગોથી બચાવવો જરૂરી, ખેડૂતોએ કરવું પડશે આ કામ

આ પણ વાંચો : ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે

Next Article