Monoculture: કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કઈ રીતે પાક રોટેશનથી દર વર્ષ વધી શકે છે કમાણી

વર્ષોથી, ઘઉં અને ડાંગર જેવા પરંપરાગત પાકો ઉગાડવામાં આવે છે, જેનું દરેક સિઝનમાં જોખમ લઈ શકતા નથી. ખેતીની આ પરંપરાગત પદ્ધતિને 'મોનોકલ્ચર' કહેવામાં આવે છે. ચાલો હવે તેના વિશે વિગતવાર જાણીએ.

Monoculture: કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કઈ રીતે પાક રોટેશનથી દર વર્ષ વધી શકે છે કમાણી
Crops Cycle (Symbolic Image)
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:47 AM

ખેડૂતો પોતાના ખેતરમાં એક જ પાકનું વારંવાર વાવેતર કરીને સારી કમાણી કરવાનું વિચારે છે, પરંતુ એવું થતું નથી. તેમને તેમની મહેનત પ્રમાણે પાક મળતો નથી. આ બધું જમીનની ફળદ્રુપતાને કારણે છે. તેથી જ કૃષિ વૈજ્ઞાનિકો (Agriculture Scientist) કહે છે કે પાક રોટેશન એક એવી પદ્ધતિ છે જેમાં કોઈ વધારાનો ખર્ચ સામેલ નથી. સાથે જ આવકમાં પણ વધારો થાય છે.

આપને જણાવી દઈએ કે વર્ષોથી આપણે ઘઉં-ડાંગર (Wheat-Paddy) જેવા પરંપરાગત પાકો ઉગાડીએ છીએ, જેનું દરેક સિઝનમાં જોખમ લઈ શકતા નથી. ખેતીની આ પરંપરાગત પદ્ધતિને ‘મોનોકલ્ચર’ (Monoculture) કહેવામાં આવે છે. ચાલો હવે તેના વિશે વિગતવાર જાણીએ. પૂસાની સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સમસ્તીપુરના પ્રોફેસર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, ડૉ.એસ.કે.સિંઘએ TV9 ને આ વિશે વિગતવાર માહિતી આપી છે.

પાક રોટેશન શું છે

ડૉ. એસ.કે. સિંઘ સમજાવે છે કે કેવી રીતે પાકના ચક્રમાં સુધારો કરવો, જમીનની તંદુરસ્તી સુધારવી, જમીનમાં પોષક તત્વોને શ્રેષ્ઠ બનાવવું અને રોગ જીવાતોના ઉપાય માટે એક જ પ્લોટ પર ક્રમશઃ વિવિધ રીતે પાકો રોપવાની પદ્ધતિ છે.

દાખલા તરીકે, ધારો કે એક ખેડૂતે એક ખેતરમાં મકાઈનું વાવેતર કર્યું છે. જ્યારે મકાઈનો પાક પૂરો થઈ જાય, ત્યારે તે કઠોળ પાક (legume crop)રોપી શકે છે, કારણ કે મકાઈ ઘણો નાઈટ્રોજન વાપરે છે અને કઠોળ જમીનમાં નાઈટ્રોજન પરત કરે છે.

શું કરવાનું રહેશે

ડૉ. એસ.કે. સિંઘના મતે, એક સરળ પાક ચક્ર (Crop Rotaion)માં બે કે ત્રણ પાકનો સમાવેશ થઈ શકે છે અને જટિલ રોટેશનમાં ડઝન કે તેથી વધુનો સમાવેશ થઈ શકે છે. અલગ-અલગ છોડને પોષક તત્વોની અલગ-અલગ જરૂરિયાતો હોય છે અને તે વિવિધ પેથોજેન્સ અને જંતુઓ માટે અતિસંવેદનશીલ હોય છે.

જો કોઈ ખેડૂત દર વર્ષે એક જ જગ્યાએ સમાન પાક ઉગાડે છે, જેમ કે પરંપરાગત ખેતીમાં સામાન્ય છે, તો તે જમીનમાંથી સતત સમાન પોષક તત્વો મેળવે છે. જીવાતો અને રોગો પોતાનું કાયમી ઘર બનાવે છે કારણ કે તેમના પસંદગીના ખાદ્ય સ્ત્રોતની ખાતરી હોય છે.

શું ફાયદો થશે

આ પ્રકારના મોનોકલ્ચર સાથે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનું વધતું સ્તર ઉપજ વધારવા અને જંતુઓ અને રોગોને દૂર રાખવા માટે જરૂરી છે. પાકનું રોટેશન કૃત્રિમ ઇનપુટ્સ વિના પોષક તત્વોને જમીનમાં પાછા લાવવામાં મદદ કરે છે.

આ પ્રથા જંતુ અને રોગના ચક્રને વિક્ષેપિત કરવા, વિવિધ પાકોના મૂળ માળખામાંથી બાયોમાસ (Biomass)વધારીને જમીનની તંદુરસ્તી સુધારવા અને ખેતરમાં જૈવવિવિધતા વધારવા માટે પણ કામ કરે છે. જમીનમાં જીવન વિવિધતા ખીલે છે, અને ફાયદાકારક જંતુઓ અને પરાગ રજકો પણ જમીનની ઉપરની વિવિધતા તરફ આકર્ષાય છે.

આ રીતે પાક રોટેશન અપનાવવાથી, તે જમીનની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે તેમજ રોગો અને જંતુઓનું સંચાલન કરવામાં મદદ કરે છે, જ્યારે તેને અપનાવવાથી કોઈ વધારાનો ખર્ચ થતો નથી.

આ પણ વાંચો: Viral: આટલી અનોખી શ્રદ્ધાંજલિ તમે ક્યારેય નહીં જોઈ હોય, વીડિયો લોકોને ખુબ આવી રહ્યો છે પસંદ

આ પણ વાંચો: 50 ટકા ઘટ્યા બાદ પણ મોંઘા કેમ છે Paytm ના શેર, જાણો તેની પાછળનું કારણ