
ખેડૂતોને (Farmers) મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે કઠોળની ખરીદી પરની મર્યાદા હટાવી દીધી છે. સરકારના આ નિર્ણય બાદ હવે ખેડૂતો કોઈપણ માત્રામાં કઠોળની ખરીદી અને વેચાણ કરી શકશે. વાસ્તવમાં સરકારનું આ પગલું કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા માટે લેવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણય બાદ કઠોળના વાવેતર વિસ્તારમાં વધારો થવાની આશા છે. ખેતીના સમાચાર અહીં વાંચો.
સરકારે દાળની ખરીદી પર 40 ટકાની ખરીદી મર્યાદા પણ હટાવી દીધી છે. વર્ષ 2023-24 માટે, PAS હેઠળ તુવેર દાળ, અડદની દાળ અને મસૂર દાળ માટે 40% ની ખરીદી મર્યાદા હવે જરૂરી નથી.
સરકારના આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે. હકીકતમાં, આ પગલા પછી, ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે મર્યાદા વિના કઠોળની ખરીદી કરી શકશે. 2 જૂને સરકારે તુવેર અને અડદની દાળ પર સ્ટોક લિમિટ લાદવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે આ નિર્ણયથી હવે ખેડૂતો રવિ સિઝનમાં તેમના ઇચ્છિત વિસ્તારમાં વાવણી કરી શકશે. જેના કારણે કઠોળનું ઉત્પાદન વધારી શકાય છે.
સરકાર કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે. દર વર્ષે સ્ટોક લિમિટ અને સંગ્રહખોરીને કારણે દાળના ભાવ આસમાને પહોંચે છે. વર્ષ 2022-23ની વાત કરીએ તો કઠોળની આયાતમાં ઘટાડો ચિંતાનું કારણ બની ગયો હતો. જે બાદ સરકારે ઉત્પાદન વધારવા પર જોર આપવાનું શરૂ કર્યું. ગયા કેલેન્ડર વર્ષની વાત કરીએ તો ભારતે લગભગ 2.53 મિલિયન ટન કઠોળની આયાત કરી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બાદ ખેડૂતોને રાહત મળશે સાથે સાથે સરકારની ચિંતા પણ દૂર થશે.
આ પણ વાંચો : Pink Garlic: હવે ખેડૂતો કરી શકશે ગુલાબી લસણની ખેતી, વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી જાત, જાણો ખાસિયત
Published On - 8:08 pm, Tue, 6 June 23