PM Kisan Scheme: ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાન યોજનાનો 14મો હપ્તો આ દિવસે ખાતામાં જમા થશે

|

Jul 17, 2023 | 4:53 PM

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મૂજબ પીએમ કિસાન નિધિના 14મા હપ્તાની રકમ દેશના 9 કરોડ ખેડૂતોને આપવામાં આવશે. આ પહેલા 27 ફેબ્રુઆરી 2023ના રોજ પીએમ કિસાનનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમાં કરાવવામાં આવ્યો હતો.

PM Kisan Scheme: ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાન યોજનાનો 14મો હપ્તો આ દિવસે ખાતામાં જમા થશે
PM Kisan Scheme

Follow us on

દેશના ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે ખેડૂતોએ પીએમ કિસાન (PM Kisan) યોજનામાં નોંધણી કરાવી છે તેને 14મા હપ્તાની રાહ પૂરી થઈ છે. પીએમ કિસાનનો 14મો હપ્તો અંગે સમાચાર સામે આવ્યા છે. દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સરકારે કહ્યું છે કે પીએમ કિસાન નિધિના 14મા હપ્તાના રૂપિયા જુલાઈ મહિનામાં જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.

DBT દ્વારા ખેડૂતોના ખાતામાં રૂપિયા મોકલવામાં આવશે

14મા હપ્તાના નાણા એપ્રિલથી જુલાઈ વચ્ચે આવવાના હતા. જુલાઈ મહિનો ચાલી રહ્યો હોવાથી ખેડૂતોના ખાતામાં PM સન્માન નિધિના પૈસા ગમે તે સમયે ખેડૂતોના ખાતામાં આવી શકે છે. એક સરકારી વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિની રકમ 28 જુલાઈએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ નાણાં DBT દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે.

ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થશે

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મૂજબ પીએમ કિસાન નિધિના 14મા હપ્તાની રકમ દેશના 9 કરોડ ખેડૂતોને આપવામાં આવશે. જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી છે તેવા અંદાજે 9 કરોડ ખેડૂતોને હપ્તાનો લાભ મેળશે. વડાપ્રધાન મોદી 28 જુલાઈના રોજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. આ પહેલા 27 ફેબ્રુઆરી 2023ના રોજ પીએમ કિસાનનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમાં કરાવવામાં આવ્યો હતો.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ પણ વાંચો : Tomato Price: ટામેટા વેચીને આ ખેડૂત બન્યો કરોડપતિ, આ રીતે કરી 2.8 કરોડ રૂપિયાની કમાણી

ખેડૂતોએ E-KYC કરાવું ફરજીયાત

ખેડૂતોએ 14મા હપ્તાની રકમ મેળવવા માટે E-KYC કરાવું ફરજીયાત છે, કારણે કે તેના વગર હપ્તાની રકમ જમાં થશે નહી. ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ સરળ છે. તેઓ તેમના નજીકના CSC પર જઈને KYC કરાવી શકે છે. આ ઉપરાંત જમીનના રેકોર્ડનું પ્રમાણીકરણ પણ જરૂરી છે. ખેડૂતો નજીકની ખેતીવાડી કચેરીની મુલાકાત લઈને આ તે સરળતાથી કરી શકે છે. એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે સાવચેત રહો, નામ, સરનામું, આધાર નંબર, એકાઉન્ટ નંબર વગેરેમાં થયેલી ભૂલ પણ તમારા હપ્તામાં વિલંબ કરી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:52 pm, Mon, 17 July 23

Next Article