ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો

|

Feb 05, 2022 | 8:52 AM

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં થતાં ફેરફારની અસર પાકના ઉત્પાદન પર પડી શકે છે. આવી સ્થિતિમાં પાકમાં રોગ (Disease And Pest Outbreaks In Crops) અને જીવાતનો ઉપદ્રવ થવાથી ઉત્પાદન ક્ષમતા ઘટી શકે છે, તેથી પાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો
Lady Finger Crop (File Photo)

Follow us on

એક તરફ ફેબ્રુઆરી મહિનો શાકભાજીની વાવણી માટે સારો માનવામાં આવે છે તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં બદલાવના કારણે અનેક રોગો અને જીવાતની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનના વૈજ્ઞાનિકો (ICAR-Indian Agricultural Research Institute)એ ખેડૂતોને તેમના પાકને રોગો અને જીવાતોના ભયથી બચાવવા માટે જરૂરી સલાહ આપી છે.

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં થતા ફેરફારની અસર પાકના ઉત્પાદન પર પડી શકે છે. આવી સ્થિતિમાં પાકમાં રોગ (Disease And Pest Outbreaks In Crops) અને જીવાતનો ઉપદ્રવ થવાથી ઉત્પાદન ક્ષમતા ઘટી શકે છે, તેથી પાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

પાકમાં રોગો અને જીવાતો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી સમયમાં વરસાદની સંભાવના વધી શકે છે, તેથી આવી સ્થિતિમાં જે ખેડૂતોનો પાક ખેતરમાં ઉભો છે, તેઓએ કોઈપણ રીતનો છંટકાવ કરવો જોઈએ નહીં. તેમજ પિયત ન આપવું જોઈએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઘઉંમાં પીળી રસ્ટ રોગનું જોખમ

આ સિઝનમાં ઘઉંના પાકમાં પીળી રસ્ટ (Yellow Rust Disease) રોગનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં પાક પર ખાસ દેખરેખ રાખો, તેમજ પીળી રસ્ટના રોગના કિસ્સામાં ડાયથેન M-45 2.5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં છંટકાવ કરો.

ચણામાં પોડ બોરર રોગ

આ સિઝનમાં ચણાના પાકમાં પોડ બોરર (Pod Borer Disease in Gram) જીવાતનો પ્રકોપ વધવાની સંભાવના છે. આ જીવાતો સામે રક્ષણ મેળવવા માટે જ્યાં છોડમાં 40-45% ફૂલો ખીલ્યા હોય તેવા ખેતરોમાં એકર દીઠ 3-4 ફેરોમોન ટ્રેપ લગાવો. આ સિવાય ખેતરમાં અલગ-અલગ જગ્યાએ પક્ષીઓ માટે “T” આકારના ઘર મુકવા જોઈએ.

બટાકામાં લેટ ઝુલસા રોગ

આ દિવસોમાં બટાકામાં લેટ ઝુલસા (Late Jhulsa Disease In Potato) રોગનું જોખમ પણ રહેલું છે. આવી સ્થિતિમાં જો શરૂઆતના લક્ષણો દેખાય તો કેપ્ટાન 2 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ભેળવીને પાકમાં છંટકાવ કરવો જોઈએ.

વાવણીની સલાહ

ભીંડાની જાતોની પસંદગી

શાકભાજી વાવવા માટે ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ મહિનો છે, તેથી આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે ખેડૂતો આ દિવસોમાં વહેલી તકે ભીંડાની વાવણી કરી શકે છે. A-4, પરબની ક્રાંતિ, અરકા અનામિકા વગેરે જેવી જાતો ભીંડાની વહેલી વાવણી માટે શ્રેષ્ઠ છે. તેમની વાવણી માટે દેશી ખાતર ઉમેરીને તૈયાર કરીને ખેતરો તૈયાર કરો.

આ શાકભાજી વાવી શકાય

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે મરચા, ટામેટાં, રીંગણ વગેરે શાકભાજી વાવી શકાય છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: જીપને ધક્કો મારી રહેલા લોકો પર શખ્સે કરી જોરદાર દેશી કોમેન્ટ્રી, જુઓ વીડિયો

આ પણ વાંચો: Laptop Tips and Tricks: જૂના લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન તો આ રીતે કરો તેને ફાસ્ટ

Next Article