
ખેડૂતો પાકને જીવાતોથી બચાવવા માટે વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે. પાકના સારા ઉત્પાદન માટે આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેડૂતો મોટાભાગે કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરે છે, જેના કારણે પાકની ઉપજ ઘણી ઓછી થઈ જાય છે અને તે પાક માટે ઘાતક સાબિત થાય છે. તેથી જ પાકના આધારે રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: જંતુનાશક દવાના પેકીંગ પર દર્શાવામાં આવતા ચિત્ર અને રંગના આધારે જાણો કે તે દવા કેટલી ઝેરી તેમજ જોખમકારક છે
જંતુનાશકની વાત કરીએ તો તેના પેકેટની પાછળ અલગ-અલગ રંગો પ્રિન્ટ કરવામાં આવે છે. આ રંગો જંતુનાશકની તીવ્રતા વિશે જણાવે છે. તે મુખ્યત્વે લાલ, પીળો, લીલો અને વાદળી રંગનો હોય છે. ચાલો આજે તમને જણાવીએ કે આ વિવિધ રંગોની અસર શું છે.
જંતુનાશક દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં લીલો રંગ દર્શાવે છે કે આ સલામત છે પરંતુ સાવધાની રાખવી જરૂરી છે જેથી કાળજી રાખીને જ ઉપયોગ કરવો જોઈએ.
આ કલર જંતુનાશકના પેકીંગ પર અડધા ત્રિકોણમાં વાદળી રંગમાં ભય દર્શાવે છે જેનો અર્થ થાય છે કે ઓછી જોખમકારક પરંતુ ઉપયોગમાં સાવધાની તો આ દવામાં રાખવાની જરૂર રહે છે.
જંતુનાશક દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં પીળો રંગનો મતલબ ઝેર છે અને તે જોખમકારક છે જેમાં ખુબ જ કાળજી રાખવાની જરૂર હોય છે આ દવાનો ઉપયોગ કરતી વખતે શેફ્ટી રાખવી ખુબ જ જરૂરી છે.
દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં લાલ રંગનો મતલબ છે વધુ જોખમકારક જેમાં ઝલદ ઝેર છે ઘણી વખત દવા પર ડેન્જરનું નિશાન પણ દર્શાવામાં આવે છે ત્યારે આ દવાના ઉપયોગમાં સૌથી વધુ કાળજી રાખવાની જરૂર રહેતી હોય છે.
જણાવી દઈએ કે પાક માટે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. આનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. તે મનુષ્યો, પ્રાણીઓ અને પાક માટે જીવલેણ બની શકે છે. આવી સ્થિતિમાં, તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…