કૃષિ જગતમાં એક નવી ક્રાંતિ તરીકે જોવામાં આવતા નેનો યુરિયા લિક્વિડનું (Nano Urea Liquid) ઉત્પાદન વધુ ઝડપી કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને (Farmers) પરંપરાગત યુરિયામાંથી મુક્તિ મળે. નેનો યુરિયા એ નાઈટ્રોજનનો સ્ત્રોત છે જે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, છોડની રચના અને છોડમાં વનસ્પતિ વૃદ્ધિ માટે ઉપયોગી છે. વિશ્વની સૌથી મોટી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ (IFFCO) એ એક કરોડથી વધુ બોટલના ઉત્પાદનનો આંકડો પાર કર્યો છે. અત્યારે તેનું ઉત્પાદન તેના માત્ર એક પ્લાન્ટમાં થઈ રહ્યું છે.
IFFCO મેનેજમેન્ટ આગામી બે વર્ષમાં કુલ યુરિયા ઉત્પાદનના 50 ટકાને નેનો યુરિયા લિક્વિડમાં બદલવા માગે છે. એવો દાવો કરવામાં આવે છે કે નેનો યુરિયા લિક્વિડના ઉપયોગથી પાકની ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો થશે. એટલું જ નહીં, પાકની ગુણવત્તા સુધરશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.
આ પ્લાન્ટમાં પણ ઉત્પાદન થશે
IFFCO અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2021-22 દરમિયાન પ્રથમ તબક્કામાં કલોલ યુનિટમાં ઉત્પાદન ચાલુ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આવલા (બરેલી) અને ફુલપુર (પ્રયાગરાજ) ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. કાંડલા અને પારાદીપમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. શરૂઆતમાં, આ પ્લાન્ટ્સની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 500 મિલીલીટરની નેનો યુરિયાની 140 મિલિયન બોટલની હશે, જે બાદમાં વધીને 180 મિલિયન બોટલ થવાની ધારણા છે.
કહેવામાં આવ્યું છે કે ત્રીજા તબક્કામાં વાર્ષિક 32 કરોડ બોટલની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાની છે. આ પછી, ખેડૂતોને યુરિયાની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. IFFCO આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના સભ્ય તરીકે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં નેનો યુરિયા પ્લાન્ટ પણ સ્થાપશે.
નેનો યુરિયા લિક્વિડ કેમ નફાકારક છે
IFFCO લગભગ દરેક રાજ્યમાં ખેડૂતોને નેનો યુરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપી રહી છે. દાવો કરવામાં આવે છે કે તે ઇકો-ફ્રેન્ડલી છે. કારણ કે જમીનમાં યુરિયાનો વધુ ઉપયોગ ઘટશે. તેનાથી છોડમાં રોગો અને જીવાતોનું જોખમ પણ ઘટશે. આ પોષક તત્વોની ગુણવત્તામાં સુધારો કરે છે. તેની 500 મિલી બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલીની સમકક્ષ હોય છે.
આ પણ વાંચો : Mandi: અમદાવાદના ધંધુકા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો : મશરૂમના કચરામાંથી તૈયાર કરી શકાશે ઓર્ગેનિક ખાતર, નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટરનો દાવો