ખેડૂતોએ ઓક્ટોબર માસમાં તુવેર, ચણા, લસણ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓક્ટોબર માસમાં તુવેર, ચણા, લસણ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Farming Activities
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 11:44 AM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે તુવેર, ચણા, લસણ અને જુવારના પાકમાં શું કરવું.

તુવેર 1. તુવેરના પાકમાં ફુલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવું. 2. લીલી ઇયળનાં નિયંત્રણ માટે નર ફૂંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. 3. લીમડાની લીંબોળીનો અર્કનો ઉપયોગ કરવો. ડાયક્લોરવોશ અથવા ક્વિનાલફોસ પૈકી કોઇ પણ એક દવાનો છંટકાવ કરવો. 4. ભુકારૂપ દવાઓમાં કાર્બારીલ અને ક્વિનાલફોસ અસરકારક જોવા મળેલ છે. 5. તુવેરમાં ફુલ બેસવાની શરૂઆત થયે, ૫૦% છોડ પર ફુલ બેસે ત્યારે અને ૫૦% છોડ પર શીંગો બેસે ત્યારે લીંબોળીના મીંજનો અર્ક છાંટવો. 6. તુવેરની શીંગમાં માખી નિયંત્રણ માટે તુવેરના ખેતરમાં ૫૦% છોડ પર શીંગો બેસે ત્યારે ક્વિનાલફોસ અથવા ડાયમિથોએટ છંટકાવ કરવો. 7. ફેનવાલેરેટ 0.૪% ભુકી ૨૫ કિ.ગ્રા./હે જરૂર જણાય તો ૨૦ દિવસે બીજો છંટકાવ કરવો.

ચણા 1. ચણાને વાવતાં પહેલાં બીજને ફૂગનાશક દવા અને રાઈઝોબીયમ કલ્ચરની માવજત અવશ્ય આપવી. 2. બિન પિયત માટે ચણા -૬ જાતનું વાવેતર કરવું. 3. પિયત ચણા માટે જુનાગઢ ચણા-૩,૪ અથવા ૫ નું વાવેતર કરવું. 4. ચણામાં બીજ અંકુર વધારવા માટે બીજ માવજત માટે પોટેશિયમ નાઈટ્રેટ ૧૦૦ ppm ૧૦૦ મિલીગ્રામ ૧ લિટર દ્રાવણ બનાવી બીજને પલાળી છાંયડામાં સુકવી વાવેતર કરવું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

લસણ 1. વાવેતર માટે ગુજરાત લસણ-૧ (સફેદ જાત) અને ગુજરાત લસણ-૧૦ (લાલ જાત), ગુજરાત લસણ-૨, ગુજરાત લસણ-૩, ગુજરાત લસણ-૪, જી-૪૧, જી-૫૦, જી-૨૬૨, જી-૩૨૬ પૈકી કોઈ પણ એક જાતની પસંદગી કરવી. 2. પાકનું વાવેતર ઓકટોબર- નવેમ્બર માસ દરમ્યાન કરવું. 3. વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.

જુવાર 1. ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો. 2. દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારવા માટે કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તા સુધારવાની જરૂર છે: પિયુષ ગોયલ

આ પણ વાંચો : RBI ના ગવર્નર શક્તિકાંત દાસે અનાજના ભાવને લઈને આપ્યું મોટું નિવેદન

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">