Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી

|

Dec 05, 2021 | 2:32 PM

કૃષિ ઉડાન યોજના 2.0 : આ યોજનાએ કૃષિ ઉત્પાદનો માટે પરિવહનના અભાવને દૂર કર્યો છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી
File Photo

Follow us on

ખેડૂત(Farmers)ને પોતાનો પાક વેચવા માટે અહીં-તહી ભટકવું પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીકવાર પાકને યોગ્ય સમયે બજારમાં ન લઈ જવાને કારણે પાક બગડી જાય છે અથવા તો તેના ખર્ચ પ્રમાણેના ભાવ મળતા નથી. આને ધ્યાનમાં રાખીને સરકારે કૃષિ ઉડાન યોજના 2.0 (Krishi Udan Yojana 2.0) નામની યોજના શરૂ કરી. તેનાથી ખેડૂતોની આવક (Farmers’ Income) વધારવામાં વધુ મદદ મળશે.

આ યોજનાથી ખેડૂતના પાકને લઈ જવામાં કોઈ નુકસાન નહીં થાય અને તેનો પાક યોગ્ય સમયે બજારમાં પહોંચશે. આ યોજના હેઠળ પાકને સીધો બજારમાં લઈ જવા માટે નેશનલ હાઈવે, ઈન્ટરનેશનલ હાઈવે અને હવાઈ માર્ગની મદદ લેવામાં આવે છે. આ યોજનાએ કૃષિ ઉત્પાદનો માટે પરિવહનના અભાવને દૂર કર્યો છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શું છે કૃષિ ઉડાન યોજના 2.0

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત ભાઈઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ, દેશના વિવિધ ભાગોમાંથી કૃષિ ઉત્પાદનોને એક જગ્યાએથી બીજા સ્થાને પહોંચાડવા માટે એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. પ્લેનમાં અડધી સીટ પર ખેડૂતોને સબસીડી આપવામાં આવશે. જેથી ખેડૂતને વધારાના ખર્ચનો બોજ સહન ન કરવો પડે અને ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં પહોંચે.

આ યોજનામાં જે ખેડૂતો માછલી ઉત્પાદન, દૂધ ઉત્પાદન અને ડેરી ઉત્પાદનો, માંસ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આ યોજનાનો વધુ લાભ મેળવી શકે છે.

આ યોજનાના લાભો

1. આ યોજનાથી ખેડૂતોને દૂર-દૂરના સ્થળોએ પણ તેમની ઉપજ વેચવાની તક મળશે.
2. એવા સ્થળોના ખેડૂતો પણ પોતાની ઉપજ બજારમાં સરળતાથી વેચી શકશે જે પહાડી વિસ્તારોમાં રહે છે.
3. જેઓ આદિવાસી છે અને તેમના ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં ન પહોંચવાના કારણે બગડી જાય છે.
4. હવાઈ ​​પરિવહન દ્વારા ઉત્પાદનો લાવવા અને લઈ જવાથી વેપાર પણ વધશે અને ખેડૂતોને સારો નફો પણ મળશે.
5. AAI દ્વારા સંચાલિત આ યોજના માટે દેશના 53 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે.
6. આ યોજનામાં દેશના પૂર્વોત્તર રાજ્યોને હવાઈ માર્ગે દેશના બાકીના બજારો સાથે જોડવાનો પ્રયાસ છે.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ
રેશન કાર્ડ
રહેઠાણનો પુરાવો
બેંક પાસ બુક
જમીન દસ્તાવેજો
આવક પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
મોબાઇલ નંબર

કેવી રીતે ઓનલાઇન અરજી કરવી

સૌપ્રથમ ખેતીવાડીની અધિકૃત વેબસાઇટ agriculture.gov.in પર લોગિન કરો.
હોમ પેજ પર જ તમને એગ્રીકલ્ચર સ્કીમનો વિકલ્પ જોવા મળશે.
કૃષિ ઉડાન યોજનાનું અરજીપત્રક ખુલશે.
ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી જેમ કે નામ, સરનામું, આધાર નંબર, મોબાઈલ નંબર અને પાક સંબંધિત માહિતી કાળજીપૂર્વક અને સાચી રીતે ભરવાની રહેશે.
ફોર્મ ભર્યા પછી સબમિટ કરો.
હવે કૃષિ યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: ગેલ કે ડી વિલિયર્સ નહીં 23 વર્ષની ઉંમરે 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ બેટ્સમેન બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી સદી બનાવનાર !

આ પણ વાંચો: કપાસ ઉતારવા મળતા ન હતા મજૂર, ખેડૂતની વ્હારે પોલીસ આવી, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ

Next Article