ખેડૂતો શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો, ઉત્પાદનમાં થશે વધારો

|

Feb 11, 2024 | 12:54 PM

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો, ઉત્પાદનમાં થશે વધારો
Vegetables Crop

Follow us on

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. રીંગણની જાતો – ડોલી ૫, જીઓબી -૧, પીએલઆર-૧, જીજેબી-૨ તથા ૩, જીબીએલ-૧, જુનાગઢ લાંબા, જીબીએચ-૧ તથા જીબીએચ-ર નું વાવેતર કરવું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

2. રીંગણમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ૪૦ઈસી૨૦ મિ.લિ અથવા ડાયફેન્થ્યુરોન ૫૦% વે.પા. ૧૦ ગ્રામ દવાને ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી છાંટવી.

3. ભીંડા લીલા તડતડીયા અને સફેદ માખીના નિયંત્રણ માટે થાયોમીથોક્ઝામ ૭ ગ્રામ અથવા એસીટામીપ્રાઈડ ૪ ગ્રામ આથવા ડાયફેંથ્યુરોન ૧૦ ગ્રામ ૧૦ લિ. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

4. ઉનાળુ ભીંડાના ઉગવા બાદ ૨૦ દિવસે હારમાં ૨ છોડ વચ્ચે ૧૫ થી ૩૦ સે.મી. ના અંતરે પારવણી કરવી.

5. મરચી જાતોમાં જીવીસી-૧૦૧, ૧૧૧, ૧૧ર, ૧ર૧, ૧૩૧, પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્‍યાતી, કાશી અનમોન, અર્કા શ્વેતાનું વાવેતર કરવું.

આ પણ વાંચો : ખેડૂતોએ શેરડી અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો

6. ગુજરાત ટામેટા-૧, ર તથા જૂનાગઢ ટમેટા-૩, ગુજરાત ટમેટા-૧ (જીટી-૧), ​જૂનાગઢ ટમેટા-3 (જેટી-3) હાઇબ્રીડ માટે પુસા હાઇબ્રીડ-૪, કાશી અમન, પુસા સેહલી, અર્કા અનન્‍યા, અર્કા રક્ષક, અર્કા સમાટ, કાશી શકિતમાનનું વાવેતર કરવું.

7. તુરિયા: ગુજરાત જૂનાગઢ સંકર તુરીયા -૧, પુસા નસદાર, ગુજરાત આણંદ તૂરીયા-૧ નું વાવેતર કરવું.

8. ભીંડા માટે ગુજરાત ભીંડા-ર, ગુજરાત આણંદ ભીંડા-૫, વર્ષા ઉ૫હાર, પુસા મખમલી, ગુજરાત જુનાગઢ ભીંડા-૩, ગુજરાત જુનાગઢ ભીંડા સંકર-૨, ગુજરાત જુનાગઢ ભીંડા સંકર-૩ નું વાવેતર કરવું.

9. દુધી – જૂનાગઢ લોંગ ટેન્ડર, પૂસા નવીન, પૂસા સમર પ્રોલીફીક લોંગ, અર્કા બહાર, પૂસા મેધદૂત, પંજાબ લોંગ, પંજાબ ગોળ, આણંદ દુધી – ૧, પૂસા સંકર – ૩ નું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article