ખેડૂતોએ શેરડી અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો

|

Feb 07, 2024 | 12:50 PM

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ શેરડી અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો
Sugarcane Farming

Follow us on

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે શેરડી અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શેરડીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. વેધકોના ઈંડાના ૫રજીવી ટ્રાયકોગામા ચીલોનીસ તથા ટ્રાયકોગામા જેપીનીકમની ભમરીવાળા ર કાર્ડ (૪૦,૦૦૦ ઈંડા) દર પંદર દિવસે 6 થી 7 વખત પ્રતિ હેકટર સવાર તથા સાંજના સમયે ખેતરમાં છોડવા.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

2. એપીરીકેનીયા મેલાનોલ્યુકા ના ૧૦૦૦૦૦ ઈંડા અથવા ર૦૦૦ કોશેટા પ્રતિ હેકટર છોડવાથી પાયરીલાનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય.

3. સફેદ માખીના બચ્ચાં / કોશેટાના ૫રજીવી એન્કાર્સીયા ઈસાકી, એન્કાર્સિયા મેક્રોપ્ટેરાની વૃઘ્ધિ કરવા ૪૦ મેશની જાળી લગાડેલા પાંજરાની સંખ્યા ૧૦ થી ૧ર પ્રતિ હેકટર રાખવી અને પાંજરામાં ૧૫ થી ર૦ દિવસે કોશેટાવાળા પાન બદલતા રહેવું.

4. સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાંને ખાનારા દાળીયા કિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેકસમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ ૫રભક્ષી કરોળીયા તથા કેટલીકવાર ક્રાયસોપા ૫ણ જોવા મળે છે. ત્યારે દવાનો છંટકાવ મુલ્તવી રાખવો જોઈએ.

5. ડાયફા એફીડીવોરા, માઈક્રોમોસ ઈગોરોટસ તથા સીરફીડ ફલાય જેવા ૫રભક્ષી શેરડીની વ્હાઈટ વુલી એફીડ ઉ૫ર ખુબજ અસરકારક માલુમ ૫ડેલ છે.

આ પણ વાંચો : ઉનાળુ મગફળી અને બાજરીના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો

સુર્યમુખી અને જુવારના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

સુર્યમુખી : ઈસી – ૬૮૪૧૪, મોર્ડન, ગુ. સુર્યમુખી – ૧, ૨, ૩ નું વાવેતર કરો.

જુવાર : જીજે-૩૫, ૩૭, ૩૯, ૪૦, ૪૧, સી.એસ.એચ – ૫, ૬, સી.એસ.એચ.આર. – ૮, જીએસએચ-૧, જીએસએફ – ૪ જાતનું વાવેતર કરો

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article