ઔષધીય છોડની ખેતી કરીને ખેડૂતો પોતાની કમાણી અનેકગણી વધારી શકે છે, સરકાર પણ કરી રહી છે મદદ

|

Dec 04, 2021 | 4:42 PM

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલા આર્થિક પેકેજમાં ઔષધીય ખેતીને પ્રોત્સાહિત કરવા 4000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ઔષધીય છોડની ખેતી કરીને ખેડૂતો પોતાની કમાણી અનેકગણી વધારી શકે છે, સરકાર પણ કરી રહી છે મદદ
Symbolic Image

Follow us on

ભારતમાં વૃક્ષો અને છોડના વિવિધ ભાગોનો ઉપયોગ લાંબા સમયથી રોગો અને બિમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક છે, જેને ઉચ્ચ જૈવવિવિધતા ધરાવતા દેશનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે છોડની ઘણી જાતો એવી છે જે ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

 

ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ અહીં લગભગ 8,000 વૃક્ષ અને છોડ છે, જેનો ઔષધીય તરીકે ઉપયોગ થાય છે. તેમાંથી બનાવેલ ઉત્પાદનો અને દવાઓની વિદેશોમાં પણ ખૂબ માંગ છે અને આ માંગ ખેડૂતો માટે ઔષધીય છોડની ખેતીના દરવાજા ખોલે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સરકારે 4000 કરોડ રૂપિયા જાહેર કર્યા

ખેડૂતો ઔષધીય છોડ (medicinal plants)ની ખેતી (Farming) કરીને વધુ સારો નફો મેળવી શકે છે. હાલમાં કોરોના (Corona Virus)ના કારણે લોકો ફરી એકવાર કુદરતી ઔષધીય તરફ વળ્યા છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને સારા સ્વાસ્થ્ય માટે લોકો ઔષધીય છોડનો આશરો લઈ રહ્યા છે.

 

ભારતીય ઔષધીય વનસ્પતિઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ઔષધીય છોડની ખેતી ખેડૂતો (Farmers) માટે આર્થિક રીતે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઔષધીય ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર ખેડૂતોને તમામ શક્ય સહકાર પણ આપી રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલા આર્થિક પેકેજમાં ઔષધીય ખેતીને પ્રોત્સાહિત કરવા 4000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

 

મંડીઓને પણ નેટવર્ક કરવામાં આવશે

નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડે લગભગ સવા બે લાખ હેક્ટર વિસ્તારમાં ઔષધીય છોડની ખેતીમાં મદદ કરી છે. આગામી વર્ષોમાં રૂ. 4000 કરોડના ખર્ચ સાથે 10 લાખ હેક્ટર વિસ્તારને હર્બલ ખેતી હેઠળ આવરી લેવામાં આવશે. આ સાથે ખેડૂતોને લગભગ 5,000 કરોડ રૂપિયાની આવક થશે. એટલું જ નહીં, ઔષધીય વનસ્પતિઓ માટે પ્રાદેશિક બજારોનું નેટવર્ક પણ હશે. હર્બલ ફાર્મિંગ ખેડૂતોની આવક બમણી કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.

 

અશ્વગંધા, ગીલોય, ભૃંગરાજ, સતાવર, ફુદીનો, મોગરા, તુલસી, એલોવેરા, બ્રાહ્મી, શંકપુષ્પી અને ગુલર આવા ઘણા ઔષધીય પાકો છે, જેની ખેડૂતો ખેતી કરી શકે છે. ખેડૂતો પાક વૈવિધ્યતા અપનાવે છે અને ખેતર ખાલી પડે તો તેમાં ઔષધીય છોડની ખેતી કરે તો સારો નફો મેળવી શકે છે.

 

ખાસ કાળજીની જરૂર નથી

ઉપરાંત, આ પાકોને વધુ કાળજી અને પાણીની જરૂર નથી. ખેડૂતો પરંપરાગત ખેતીથી અંતર રાખીને પ્રગતિનો માર્ગ શોધી રહ્યા છે. ખેડૂતો હવે ખેતરોમાં ઔષધીય છોડની ખેતી કરીને અનેક ગણો વધુ નફો કમાઈ રહ્યા છે. દેશના ઘણા ભાગોમાં ખેડૂતો જૂથો બનાવીને ખેતી પણ કરી રહ્યા છે.

 

હર્બલ ઉત્પાદનો તરફ આગળ વધી રહેલા ભારતમાં સફેદ મુસળીમાંથી આવી દવાઓ બનાવવામાં આવી રહી છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લેમનગ્રાસ તેલનો ઉપયોગ લીંબુની સુગંધ સાથે સાબુમાં થાય છે. શ્યામા હર્બલનો ઉપયોગ ચા અને ડિયોડ્રેન્ટ અને ચામડા ઉદ્યોગમાં ગંધનાશક તરીકે થાય છે. જો આ રીતે જોવામાં આવે તો ઔષધીય વનસ્પતિઓની ખેતીમાં અપાર સંભાવનાઓ છે.

 

 

આ પણ વાંચો: ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા

 

આ પણ વાંચો: ડિસેમ્બર મહિનો માર્કેટમાં કમાણીનો મહિનો સાબિત થયો છે, જાણો આ વખતે રેકોર્ડ તૂટશે કે યથાવત રહેશે ?

Next Article