સહકાર મંત્રી અમિત શાહે સજીવ ખેતીનું મહત્વ સમજાવ્યું, ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે ભલામણ પણ કરી

ખેડૂતોને આ ખેતી તરફ વળવા આહવાન કરતાં તેમણે કહ્યું કે, સજીવ ખેતી ઉત્પાદન શરીર અને જમીન બંનેને બચાવે છે. દેશના ખેડૂતો આ વાત સમજે છે અને સ્વીકારે છે. આગામી દિવસોમાં ઓર્ગેનિક દૂધની વાત થશે.

સહકાર મંત્રી અમિત શાહે સજીવ ખેતીનું મહત્વ સમજાવ્યું, ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે ભલામણ પણ કરી
Amit Shah
| Edited By: | Updated on: Nov 30, 2021 | 6:35 PM

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) એક કાર્યક્રમમાં જૈવિક ખેતીને (Organic Farming) લગતી જરૂરિયાત અને સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોને આ ખેતી તરફ વળવા આહવાન કરતાં તેમણે કહ્યું કે, સજીવ ખેતી ઉત્પાદન શરીર અને જમીન બંનેને બચાવે છે. દેશના ખેડૂતો આ વાત સમજે છે અને સ્વીકારે છે. ઘણા પ્રગતિશીલ ખેડૂતોએ આ વાત સ્વીકારી છે. આગામી દિવસોમાં ઓર્ગેનિક દૂધની (Organic Milk) વાત થશે. પરંતુ ઓર્ગેનિક ખેતીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને તેમની પેદાશની યોગ્ય કિંમત મળતી નથી.

ઓર્ગેનિક ઘઉંને (Wheat) રાસાયણિક ખેતીવાળા ઘઉં જેટલો જ ભાવ મળે છે. જ્યારે દેશ અને દુનિયામાં ઘણી એવી સિસ્ટમ્સ છે જ્યાં ત્રણ ગણી કિંમતે મળી શકે છે, પરંતુ માર્કેટિંગ સિસ્ટમ નથી. આ અઘરું કામ કોઈએ તો શરૂ કરવું જ પડશે. આવી વૈજ્ઞાનિક ટેકનોલોજીનો વિકાસ એ સપ્લાય ચેન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગ માટે ગ્રાહકોને વિશ્વાસ આપવાનો છે.

રાસાયણિક ખાતરથી લોકો બીમાર પડી રહ્યા છે અને જમીન બગડી રહી છે
અમિત શાહે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના (Chemical Fertilizer) વધુ પડતા ઉપયોગને કારણે આપણી જમીન બગડી રહી છે અને ઉત્પાદકતા ઘટી રહી છે. હવે ઉત્પાદનોમાં ખાતર એટલું બધું છે કે તે શરીરને પણ બગાડી રહ્યું છે. કેન્સર પણ થઈ રહ્યું છે અને વિવિધ પ્રકારના રોગો થઈ રહ્યા છે.

વિશ્વભરના લોકો તરફથી વિશ્વસનીય ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોની (Organic Food Products) માગ છે. કારણ કે કોઈને કેન્સર નથી જોઈતું, કોઈને બીમારી જોઈતી નથી. હવે એ સાબિત થઈ ગયું છે કે ખાતરના વધુ પડતા ઉપયોગથી આપણું શરીર અનેક રોગોનું ઘર બની જાય છે.

ઓર્ગેનિક ખેતી અને ભારત
મોદી સરકાર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા પર ઘણો ભાર આપી રહી છે. દેશમાં 44 લાખથી વધુ ખેડૂતો (Farmers) ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. પ્રમાણિત ઓર્ગેનિક વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 5મું અને ખેડૂતોના સંદર્ભમાં 1મું સ્થાન ધરાવે છે. સજીવ ખેતીના મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 2004-05માં જૈવિક ખેતી પર રાષ્ટ્રીય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અગાઉ એટલે કે 2003-04માં માત્ર 76,000 હેક્ટરમાં થતું હતું જે આજે વધીને 38.9 લાખ હેક્ટર થયું છે.

 

આ પણ વાંચો : Omicron Impact: સોયાબીનના ભાવમાં થયો ઘટાડો, મહારાષ્ટ્રના ખેડુતોને હાલાકી

આ પણ વાંચો : કેળાની ખેતી કરતા ખેડૂતો સાવધાન ! કેળના પાન પર આવા નિશાન જોવા મળે તો રોગના નિયંત્રણ માટે કરો આ ઉપાય