Black Guava Farming: હવે ખેડૂતો કરી શકશે કાળા જામફળની ખેતી, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

|

Oct 16, 2021 | 9:48 PM

શિયાળાની (Winter) ઋતુના મુખ્ય ફળમાં જામફળ (Guava) તે પૈકી એક છે. જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જ્યાં એક તરફ જામફળ આરોગ્ય માટે ફાયદાકારક છે તો બીજી તરફ જામફળની ખેતી પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Black Guava Farming: હવે ખેડૂતો કરી શકશે કાળા જામફળની ખેતી, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
Black Guava farming

Follow us on

Black Guava Farming: જામફળના (Guava) વૃક્ષો સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. આ ફળ બજારમાં સામાન્ય કિંમતે ઉપલબ્ધ છે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી આ ફળનું સેવન કરી શકે. શિયાળાની (Winter) ઋતુમાં વિવિધ પ્રકારના જામફળ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કાળા જામફળ વિશે.

 

બિહાર કૃષિ યુનિવર્સિટીમાં ( Bihar Agricultural University) ત્રણ વર્ષથી વધુ સમયથી વૈજ્ઞાનિકોએ સંશોધન સાથે કાળા જામફળ વિકસાવવામાં આવ્યા છે. તેના કદ, સુગંધમાં થોડો સુધારો કર્યા પછી તેને ટૂંક સમયમાં વ્યાપારી ખેતી માટે શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, દેશમાં આ પ્રકારના જામફળનો વ્યાપારી રીતે ઉપયોગ થતો નથી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

જામફળની આ વિવિધતા ખૂબ જ ખાસ છે, કારણ કે તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. આ સાથે વૃદ્ધત્વ વિરોધી પરિબળો વૃદ્ધત્વને રોકવામાં મદદરૂપ થાય છે. વૈજ્ઞાનિકોના મતે આ જામફળના સેવનથી વૃદ્ધત્વને લાંબા સમય સુધી રોકી શકાય છે.

 

બિહાર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓએ 2થી 3 વર્ષ પહેલા જામફળની આ જાતનું વાવેતર કર્યું હતું. તે હવે ફળ આપવાનું શરૂ કર્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જામફળની આ વિવિધતા જલ્દીથી વ્યવસાયિક વાવેતર માટે ઉપયોગમાં લેવાશે.

 

ભાગલપુરમાં પ્રથમ વખત કાળા જામફળનું ઉત્પાદન શરૂ થયું છે. બિહાર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (BAU)માં વિકસિત આ જામફળની વિવિધતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સંશોધકોના જણાવ્યા મુજબ તેના વૃદ્ધત્વ વિરોધી પરિબળ અને રોગ પ્રતિકાર સામાન્ય ફળો કરતા વધારે હોવાને કારણે લોકો તેને પસંદ કરશે.

 

લાલ પલ્પ સાથે કાળા જામફળની આ વિવિધતામાં એન્ટિઓક્સિડન્ટ, ખનિજો અને વિટામિન્સથી ભરપૂર હોવાનો દાવો કરવામાં આવે છે. આ જામફળમાં કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય શરીરમાં એનિમિયાની ઉણપ દૂર થઈ શકે છે. આ વિવિધતા કબજિયાત અને પાઈલ્સ જેવા રોગો માટે પણ ફાયદાકારક છે.

 

આ પણ વાંચો : Afghanistan Crisis: તાલિબાનનું નવું ફરમાન, કોઈને હુકમ વગર જાહેરમાં ફાંસી પર નહીં લટકાવી શકાય

આ પણ વાંચો : પાકિસ્તાનને પડયા પર પાટુ, ખાસ મિત્ર ચીને નાગરિકોના મોત માટે માંગ્યું અધધ… કરોડનું વળતર

Next Article