Success Story: બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા કચ્છના આ ખેડૂતે દાડમની ખેતીથી મેળવી 1.25 કરોડ રૂપિયાની આવક

|

Feb 08, 2022 | 4:11 PM

ડ્રીપ પધ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન પણ થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ પાક મેળવી શકાય છે.

Success Story: બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા કચ્છના આ ખેડૂતે દાડમની ખેતીથી મેળવી 1.25 કરોડ રૂપિયાની આવક
Vinodbhai - Pomegranate Farming

Follow us on

સુકા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં ખેતી ક્ષેત્રે ઘણા ખેડૂતોએ (Farmers) કંઈક નવુ કરી ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશના ખેડૂતોને અંચબીત કર્યા છે. બાગાયત ક્ષેત્ર હોય કે પછી પ્રયોગાત્મક ખેતી કરી કંઈક નવું કરવાની વાત હોય કચ્છના ખેડૂતોએ ઓછી સુવિધા વચ્ચે ખેતીમા પ્રગતી કરી છે. તાજેતરમાં જ કચ્છના નારાણપર ગામના ખેડૂત વિનોદભાઇ વેકરીયાને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ 2019-20’ થી સન્માનીત કરવામાં આવ્યા છે. વિનોદભાઇ એ વર્ષ-2019 માં દાડમનું (Pomegranate Farming) મબલખ અને સારી ગુણવત્તાનુ ઉત્પાદન કરી 90 લાખનો નફો કર્યો હતો. વિનોદભાઈ પાણી બચાવીને ડ્રીપ ઈરીગેશનથી ખેતીનું મહત્વ સમજી અને જાણ્યું કે આ ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો પદ્ધતિસર ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે.

ડ્રીપ પધ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન પણ થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ પાક મેળવી શકાય છે. આવા વિચારો સાથે દાડમનું વાવેતર કરનાર નારણપર ગામના ખેડૂત વિનોદભાઇએ 2019મા 5000 જેટલા દાડમની રોપણી કરી હતી.

વાવતેર કરતી વખતે ઝાડ દીઠ 80 કિલો દેશી ખાતર અને લીંબોળી ખોળના નિરણનો ઉપયોગ કર્યો. લોખંડના એંગલ અને તારથી દાડમને ટેકો આપ્યો. આયોજનબધ્ધ યોગ્ય માવજત કરી 3500 ગોટીકલમ અને 1500 ભગવા સિંદુરી ટીશ્યુકલ્ચર દાડમનો ઉછરે કર્યો. 600 થી 900 ગ્રામના પ્રતિફળના ઉતારાની ગુણવત્તાના પગલે તેમણે દાડમના નીચા બજાર ભાવમાં પણ યોગ્ય ભાવ મેળવી રૂ. 90 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

225 ટન દાડમ ઉત્પાદનમાંથી બજાર ભાવ રૂ. 35 હતો ત્યારે માલની ગુણવત્તા અને પ્રમાણના આધારે ભાવ રૂ. 65 ના કિલો મેળવ્યા હતા. રૂ. 1.25 કરોડની આવક થયેલી જેમાંથી 35 લાખનો ખર્ચ બાદ કરતાં રૂ. 90 લાખનો ચોખ્ખો નફો થયો હતો. વિનોદભાઇએ વિદેશમાં દાડમની નિકાસ પણ કરી હતી. કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના ઉત્તમ પરિણામ મેળવી અન્ય ખેડૂતોને પ્રેરણા આપવા માટે તેમને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ મળ્યો છે.

વિનોદભાઇએ પોતાના અનુભવના આધારે ખેડુતોને જણાવ્યુ છે કે અત્યારની ખેતી ખર્ચાળ છે. સિસ્ટમથી ખેતી કરવી જોઇએ ડ્રીપ નહીં અપનાવીએ, તો પાણીનો બગાડ કરીશું અને આયોજન વગર ખર્ચ કરીશું તો ઉત્પાદન અને આવક પર ધાર્યુ વળતર નહીં મળે. તાજેતરમાં જ નામ જાહેર થયા બાદ કચ્છ જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે વિનોદભાઇને પ્રમાણપત્ર તથા રૂપિયા 50,000 નો પુરસ્કાર એનાયત કરાયો હતો.

 

આ પણ વાંચો : મહેસાણા : દૂધસાગરના પશુપાલકો માટે ખાસ દિશાસૂચન, પશુઓની કાળજી સાથે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરિયાતો

આ પણ વાંચો : Cotton Prices: વધતા-ઘટતા ભાવમાં ખેડૂતોએ કપાસનો સ્ટોક કરવો કે વેચવો ? જાણો શું છે કૃષિ નિષ્ણાંતોની સલાહ

Published On - 9:58 pm, Thu, 3 February 22

Next Article