સુરત : કતાર ગામમાં પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું, હુમલાખોર પતિ ફરાર

લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.

સુરત : કતાર ગામમાં પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું,  હુમલાખોર પતિ ફરાર
Surat: Husband fired on wife in Katargam, attacker husband absconding (પ્રતિકાત્મક તસ્વીર)
| Edited By: | Updated on: Feb 24, 2022 | 11:46 AM

Surat: શહેરમાં અવાર-નવાર અંગત અદાવતમાં ફાયરિંગની (Firing)ઘટનાઓ બનતી રહે છે. કે પછી પતિ પત્ની પર હુમલાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત કતારગામ (Katargam)વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાના કારણે રહીશોમાં ભયનો માહોલ ફેલાયો જોવા મળ્યો હતો. પતિ-પત્નીના ઝઘડામાં પતિએ પત્ની પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી વાગતા પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.

સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી નજીક આવેલ એક ફેલટમાં રહેતા પતિ પત્નીની બબાલ સામે આવી. છેલ્લા 5 વર્ષથી પતિ અખિલેશ પત્નીને મુકીને કર્ણાટક ભાગી ગયો હતો. જેને કારણે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો. ત્યારે અખિલેશ ગઈકાલે કર્ણાટકથી સુરત આવ્યો હતો. અને ત્યાર બાદ મોડી રાત્રે પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી પત્નીને વાગી જતા બેહોશ થઈ હતી. ત્યાર બાદ તે પાછો કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગ દરમ્યાન એક ગોળી પત્નીને વાગી ગઈ હતી. જેને કારણે પત્નીને ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અખિલેશ ફાયરિંગ કરી કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનેવીએ જણાવ્યું હતું કે, ટીનાએ 16 વર્ષ પહેલાં અખિલેશસિંગ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમિલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશના બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી.આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી.

લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે, બહેન-બનેવી મદદ કરે એની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીએ વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો : Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે