AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની સાથે ઝઘડો થયો તો પોતાના જ ઘરને લગાવી દીધી આગ, નજીકના 10 મકાનો પણ બળીને થયા રાખ, જુઓ VIDEO

પત્ની સાથે ઝઘડો થયો ત્યારે એક વ્યક્તિએ પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી. આ આગ એવી રીતે ફાટી નીકળી કે નજીકના દસ મકાનોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા.

પત્ની સાથે ઝઘડો થયો તો પોતાના જ ઘરને લગાવી દીધી આગ, નજીકના 10 મકાનો પણ બળીને થયા રાખ, જુઓ VIDEO
The house was set on fire in anger, 10 nearby houses were also destroyed
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:11 PM
Share

Maharashtra: પત્ની સાથે ઝઘડો થયો ત્યારે એક વ્યક્તિએ પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી. આ આગ એવી રીતે ફાટી નીકળી કે નજીકના દસ મકાનોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા. આ તમામ ઘર પણ બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટના મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પાટણ તાલુકાની છે. પાટણ તાલુકાના મઝગાંવમાં બનેલી આ ઘટનામાં પચાસ લાખથી વધુની સંપત્તિને નુકસાન થયું છે. પોલીસે સંબંધિત પતિ સામે ગુનો નોંધ્યો છે.

પાટણ તાલુકાના મઝગાંવમાં રહેતા સંજય પાટીલે તેની પત્ની પલ્લવી સાથે કોઈ કારણસર ઝઘડો કર્યો હતો. ઘરેલુ બાબતોથી શરૂ થયેલી આ ચર્ચા એટલી તીવ્ર બની ગયો કે સંજય પાટીલ ગુસ્સે થયો. અને ગુસ્સો એટલો વધી ગયો કે, તેણે પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી. આ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ અને નજીકના ઘરોને પણ તેની ચપેટમાં લઈ લીધા હતા. આ રીતે કુલ દસ મકાનો બળીને રાખ થઈ ગયા હતા.

જ્યારે આગ લાગી ત્યારે તે પહેલા ઘરના સિલિન્ડર સુધી પહોંચી. સિલિન્ડરમાં આગ લાગતા જ જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘરની આજુબાજુના બધા ઘરો કુલ 10 મકાનો બળી ગયા છે. કુલ પચાસ લાખથી વધુની સંપત્તિનું કુલ નુકસાન થયું છે. સદ્ભાગ્યે કોઈનું મૃત્યુ થયું નથી.

દરમિયાન આરોપી પતિ સંજય પાટીલની પોલીસે ધરપકડ કરી છે. મલ્હાર પેઠની પોલીસ દ્વારા આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આગમાંથી બહાર કાઢતી વખતે આ આગ લગાવનાર પતિને ગ્રામજનોએ ખૂબ માર માર્યો હતો.

નાગપુરમાં આવી જ એક આગમાં ત્રણ મકાનો નાશ પામ્યા હતા

નાગપુર જિલ્લાના કાટોલ તાલુકાના ડોરલી ભીંગરે ગામમાં પણ આવી જ આગ લાગી હતી. એલપીજી ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક ​​થવાને કારણે રાધાબાઈ તુલેના ઘરમાં સવારે 6 વાગ્યે આગ લાગી હતી. ટૂંક સમયમાં જ આ આગ નજીકના ઘરોમાં પણ ફેલાઈ ગઈ હતી. આ રીતે ત્રણ મકાનો બળી ગયા હતા. આ ઘટના જૂન મહિનાની છે.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">