ફેક ન્યૂઝ ફેલાવવા બદલ 8 ટ્વીટર હેન્ડલ પર FIR, ઉન્નાવ ઘટનામાં કરી હતી ફેક ટ્વીટ

|

Feb 23, 2021 | 12:25 PM

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં દલિત યુવતીઓના મોત મામલે ટ્વીટ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે ટ્વીટ્સ દ્વારા ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

ફેક ન્યૂઝ ફેલાવવા બદલ 8 ટ્વીટર હેન્ડલ પર FIR, ઉન્નાવ ઘટનામાં કરી હતી ફેક ટ્વીટ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં દલિત યુવતીઓના મોત મામલે ટ્વીટ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે ટ્વીટ્સ દ્વારા ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસમાં 8 ટ્વીટર હેન્ડલ્સની નોંધ કરવામાં આવી છે. તેમના સંચાલકો પર કાર્યવાહી કડક થઈ શકે છે. પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે જે એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં નિલિમ દત્ત, મોજો સ્ટોરી, જનજાગરણ લાઈવ, સૂરજકુમાર બૌધ, વિજય આંબેડકર યુપી, અભયકુમાર આઝાદ 97, રાહુલ દિવાકર વગેરેનું નામ સામેલ છે. પોલીસ અન્ય ટ્વીટ પર પણ નજર રાખી રહી છે. એવું માનવામાં આવે છે કે અન્ય લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

 

અગાઉ પોલીસે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા ઉદિત રાજ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આ મામલે અનેક ટ્વીટ્સ આવી રહી છે અને સાથે સરકાર અને પોલીસ તંત્ર ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન પોલીસે ફેક સમાચારને લઈને આ પગલું ભર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે બુધવારે ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના અસોહા વિસ્તારના બબુરહા ગામની બહાર દલિત બિરાદરોની ત્રણ છોકરીઓ બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેમાંથી બે લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યુવતીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેના આધારે, મૃત્યુનું કારણ જાણી શકાશે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

જ્યારે બે બહેનોના મૃતદેહ મેદાનમાંથી મળી આવ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના MLC અને ઉન્નાવના સુનિલ સજને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે ફરી એકવાર ઉન્નાવ ઘટનાએ સમગ્ર રાજ્યને શરમથી નીચું જોવડાવ્યું બનાવ્યું છે. ઉત્તરપ્રદેશમાં જંગલનો નિયમ છે. પછાત અને દલિત સમાજની પુત્રીઓ સલામત નથી. ઉન્નાઓના પોલીસ અધિક્ષક આનંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે બબુરહા ગામે બપોરે ત્રણ વાગ્યે પશુઓ માટે ઘાસચારો લેવા 15, 14 અને 16 વર્ષની ત્રણ છોકરીઓ ઘરની બહાર ગઈ હતી. મોડી સાંજ સુધી પાછી ન આવતાં પરિવારજનોએ તેઓની શોધ શરુ કરી, ત્યારે છોકરીઓ તેમને ગામની બહારના મેદાનમાં બેભાન અવસ્થામાં મળી હતી અને તેમને દુપટ્ટા સાથે બાંધી દેવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Viral: બાગપતમાં એક ગ્રાહકને લઈને લારીવાળા વચ્ચે મારામારી, ફિલ્મી અંદાજમાં VIDEO વાયરલ

Next Article