ધર્મગુરુને લાંછન, સેલવાસમાં મદરેસામાં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ

|

Nov 24, 2021 | 5:27 PM

દાદરા નગર હવેલીના એક મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થવાના મુદ્દે મદરેસાના મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પગલે પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

ધર્મગુરુઓને લાંછન લગાવતી એક ઘટના ફરી પ્રકાશમાં આવી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મદરેસામાં અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ થયું હોવાની જાણ સગીરાએ તેના માતા પિતાને કરી હતી. જેથી સગીરાના માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી સેલવાસના મદરેસાના મોલવીએ પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે પોલીસે મેડિકલ તપાસ કરવાની તેમજ આગળની તજવીજ હાથ ધરી હતી.

દાદરા નગર હવેલીના એક મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થવાના મુદ્દે મદરેસાના મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પગલે પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સગીરાએ આ આ અંગે પોતાના માતા-પિતાને ફરિયાદ કરતાં સગીરાના માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. મામલો ખૂબ જ ગંભીર હોવાથી પોલીસ કર્મચારીઓની હિલચાલ વધી ગઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા. એસપી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ વિષય પર કંઈક કહી શકાય એમ છે.

ગુજરાતમાં હાલ એક બાદ એક દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજયમાં યુવતીઓ પર બનતા આવા બનાવોને પગલે મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થઇ રહ્યાં છે.

આ પણ વાંચો : Video : ખરેખર ! ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુડાએ એન્જિનિયરને કહ્યું “રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ”, ગુડાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ

Published On - 5:21 pm, Wed, 24 November 21

Next Video