Aravalli : મેઘરજમાં બે જુથ વચ્ચે અથડામણ કેસમાં પોલીસે 35 લોકો સામે ફરિયાદ દાખલ કરી

|

Jul 19, 2021 | 6:34 PM

પોલીસે  35 લોકો સામે ફરિયાદ નોંધી છે.  જેમાં બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રવિવારે ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ વાયરલ થવા મામલે જુથ અથડામણ થઈ હતી.

અરવલ્લી(Aravalli)જિલ્લાના મેઘરજમાં રવિવારે જુના બજારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પોલીસે  35 લોકો સામે ફરિયાદ નોંધી છે.  જેમાં બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ વાયરલ થવા મામલે જુથ અથડામણ(Group Clash) થઈ હતી. તેમજ જૂથ અથડામણમાં સોડાની કાચની બોટલો અને પથ્થરમારો કરાયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિત પોલીસના ઉચ્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો. જો કે આ અથડામણમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Technology : આ સ્ટેપ્સ ફોલોવ કરીને સરળતાથી WhatsApp કોલ રેકોર્ડ કરો

આ પણ વાંચો : Cricket: ડેવિડ વોર્નર બોલવા લાગ્યો ‘ભારત માતાની જય’, સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયો થયો વાયરલ, જુઓ 

Published On - 6:28 pm, Mon, 19 July 21

Next Video