અરવલ્લી(Aravalli)જિલ્લાના મેઘરજમાં રવિવારે જુના બજારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પોલીસે 35 લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાં બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ વાયરલ થવા મામલે જુથ અથડામણ(Group Clash) થઈ હતી. તેમજ જૂથ અથડામણમાં સોડાની કાચની બોટલો અને પથ્થરમારો કરાયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિત પોલીસના ઉચ્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો. જો કે આ અથડામણમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Technology : આ સ્ટેપ્સ ફોલોવ કરીને સરળતાથી WhatsApp કોલ રેકોર્ડ કરો
આ પણ વાંચો : Cricket: ડેવિડ વોર્નર બોલવા લાગ્યો ‘ભારત માતાની જય’, સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયો થયો વાયરલ, જુઓ
Published On - 6:28 pm, Mon, 19 July 21