અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ત્રણ શખ્સોએ પોલીસકર્મી પર કર્યો હુમલો

|

Jun 11, 2024 | 7:38 PM

નરોડા વિસ્તારમાં રસ્તે પસાર થતા પોલીસકર્મી ઉપર ત્રણ લોકોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે, નરોડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલાની ધરપકડ કરી છે.

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ત્રણ શખ્સોએ પોલીસકર્મી પર કર્યો હુમલો
Ahmedabad

Follow us on

શહેરમાં મારામારીની અસંખ્ય ઘટનાઓ દરરોજ પોલીસ મથકે નોંધાય છે, પરંતુ હવે શહેર પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં રસ્તે પસાર થતા પોલીસકર્મી ઉપર ત્રણ લોકોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે, નરોડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે.

નરોડા પોલીસે મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ કે તેઓએ એક પોલીસકર્મીને માર માર્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા સોમવારે પોતાનું મોટરસાયકલ લઈને રાતના સમયે કઠવાડાથી નરોડા તરફ પસાર જતા હતા તે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા આ ઘટના બની હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એક મોટરસાયકલ ઉપર ત્રણ જણા બેફામ રીતે વાહન ચલાવતા અને તેઓને ઓવરટેક કરતા જયદેવસિંહે ત્રણેય જણાને મોટરસાયકલ ધીમે જોઈને ચલાવવાનું જણાવ્યું હતું. તે બાદ તેઓ આગળ નીકળ્યા હતા. હંસપુરા સર્કલ ખાતે ત્રણેય જણાએ પોલીસકર્મી જયદેવસિંહ ઝાલાને ઉભા રાખી બોલાચાલી કરી હતી.

Next Article