WHOએ કોરોનાના ખતરનાક વેરિઅન્ટ માટે આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે

|

Mar 31, 2022 | 8:33 PM

ગયા સપ્તાહના અંતે, સમગ્ર રોગચાળા દરમિયાન કોરોનાના 479 મિલિયનથી વધુ પુષ્ટિ થયેલા કેસો નોંધાયા હતા અને 60 લાખથી વધુ લોકોના મોત થયા છે. જોકે WHOનું કહેવું છે કે વાસ્તવિક આંકડો આના કરતા અનેક ગણો વધારે હોઈ શકે છે.

WHOએ કોરોનાના ખતરનાક વેરિઅન્ટ માટે આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે
Corona Virus - Symbolic Image

Follow us on

વિશ્વમાં કોરોના મહામારીનો (Corona Cases) કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (World Health Organization) બુધવારે કોરોના વાયરસથી આ વર્ષે ત્રણ સંભવિત જોખમોની ચેતવણી આપી છે. તેમણે કોવિડ-19ના નવા પ્રકારો, વધુ ખતરનાક વેરિઅન્ટ્સ સાથે સૌથી ખરાબ પરિસ્થિતિ અંગે ચેતવણી આપી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાને કારણે, વાયરસથી થતા રોગની તીવ્રતા સમય જતાં ઘટશે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ કહ્યું કે ઓમિક્રોન કરતાં પણ વધુ ખતરનાક વેરિઅન્ટ આવી શકે છે.

WHOએ તેની અપડેટેડ COVID-19 વ્યૂહરચના બહાર પાડી છે, જે સજ્જતા અને પ્રતિભાવ યોજનાની રૂપરેખા દર્શાવે છે. સંસ્થાના વડાએ આશા વ્યક્ત કરી છે કે આ અંતિમ યોજના હશે. આ યોજનામાં સંભવિત પરિસ્થિતિ અને મહામારીનું ત્રીજું વર્ષ કેવી રીતે સમાપ્ત થશે તે વિશે જણાવવામાં આવ્યું છે.

વાયરસનો સતત વિકાસ થઈ રહ્યો છે : WHO

ટેડ્રોસે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હવે આપણે જે જાણીએ છીએ તેના આધારે, સૌથી વધુ સંભવિત દૃશ્ય એ છે કે વાયરસ સતત વિકસિત થાય છે, પરંતુ સમય જતાં રોગની તીવ્રતા ઘટતી જાય છે કારણ કે રસીકરણ અને ચેપને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમણે કહ્યું કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે કોરોના અને તેનાથી થતા મૃત્યુના કેસ સમયાંતરે વધી શકે છે. તેને કારણે, ક્યારેક સંવેદનશીલ લોકો માટે બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

તેમણે કહ્યું કે સૌથી ખરાબ કિસ્સામાં, વધુ ખતરનાક ફેલાવાનો પ્રકાર ઉભરી શકે છે. આ નવા ખતરા સામે રસીકરણ અગાઉથી કરાવવું પડશે. નવા પ્રકારોના સંભવિત પ્રવેશ અંગે, ટેડ્રોસે કહ્યું કે આ સ્થિતિમાં હાલમાં ઉપલબ્ધ રસીઓમાં નોંધપાત્ર ફેરફાર કરવાની જરૂર પડશે અને તે પછી તે ગંભીર રોગ માટે સંવેદનશીલ લોકો સુધી પહોંચે તેની ખાતરી કરવી પડશે. કોવિડ-19 પર ડબ્લ્યુએચઓના ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, રોગચાળાના ત્રીજા વર્ષમાં જઈને વાયરસમાં હજુ પણ ઘણી ઊર્જા બાકી છે.

વિશ્વમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 60 લાખથી વધુ લોકોના મોત થયા

ગયા સપ્તાહના અંતે, સમગ્ર રોગચાળા દરમિયાન કોરોનાના 479 મિલિયનથી વધુ પુષ્ટિ થયેલા કેસો નોંધાયા હતા અને 60 લાખથી વધુ લોકોના મોત થયા છે. જોકે WHOનું કહેવું છે કે વાસ્તવિક આંકડો આના કરતા અનેક ગણો વધારે હોઈ શકે છે.

આ પણ વાંચો : લશ્કર એ તૈયબાના 4 આતંકવાદીઓના માથે NIAનું 10-10 લાખનુ ઈનામ

આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની શક્યતા, દેશમાં સૂર્યમુખી તેલના પુરવઠામાં 25% ઘટાડો થવાનો અંદાજ

Next Article