ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે, રસીકરણની ઝડપ વધારવા કેન્દ્રની સૂચના

|

Dec 28, 2021 | 4:55 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ચૂંટણીવાળા 5 રાજ્યોમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે અને તેમને સાવચેતીના ડોઝ પણ આપવામાં આવશે.

ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે, રસીકરણની ઝડપ વધારવા કેન્દ્રની સૂચના
Election Duty - File Photo

Follow us on

દેશમાં ઓમિક્રોનના (Omicron) વધતા જતા કેસોને જોતા સરકારની ચિંતા વધી રહી છે. આ ચિંતા હવે એટલા માટે વધી ગઈ છે કારણ કે આવતા વર્ષે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Elections 2022) યોજાવાની છે. આ સ્થિતિમાં ઓમિક્રોનનો ખતરો વધુ વધી ગયો છે. દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ચૂંટણી રાજ્યોમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે અને તેમને પણ પ્રીકોશન ડોઝ આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના કોરોના રસીના (Corona Vaccine) સાવચેતી ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ચૂંટણીવાળા 5 રાજ્યોમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે અને તેમને સાવચેતીના ડોઝ પણ આપવામાં આવશે. બીજા ડોઝ પછી 9 મહિનાના અંતરાલ પર આવા લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવશે.

15 થી 18 વર્ષની વયના લોકો માટે અલગ રસીકરણ સાઇટ
આ સિવાય કેન્દ્ર સરકારે 15 થી 18 વર્ષની વયના લોકો માટે અલગ રસીકરણ સ્થળ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી હોય તેવા રાજ્યોમાં ભીડ વધવાની સંભાવના છે. તેથી, આ રાજ્યોમાં રસીકરણના મહત્તમ કવરેજ માટે આગામી સપ્તાહ અને પખવાડિયું નિર્ણાયક છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેન્દ્રએ પત્ર લખીને ચૂંટણી રાજ્યોમાં કોરોના વેક્સિનને વધુ સઘન બનાવવાની સૂચના આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ રાજ્યો માટે તેમના જિલ્લા સ્તરે રસીકરણની સમીક્ષા કરવી જરૂરી છે. આરોગ્ય સચિવે રાજ્યોને પત્ર લખીને રસીકરણ યોજના શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવા વિનંતી કરી છે.

દેશમાં ઓમિક્રોનની સ્થિતિ
ઓમિક્રોન ઝડપથી દેશમાં પોતાના પગ ફેલાવી રહી છે. ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 653 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. Omicron વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 167 કેસ છે, જ્યારે દિલ્હીમાં 165, કેરળમાં 57, તેલંગાણામાં 55 અને ગુજરાતમાં 49 કેસ નોંધાયા છે.

ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ડિસ્ચાર્જ/સ્થળાંતર/સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 61, દિલ્હીમાં 23, કેરળમાં 1, તેલંગાણામાં 10 અને ગુજરાતમાં 10 છે. આ પાંચ રાજ્યો બાદ અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી તેના ગંભીર લક્ષણો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

 

આ પણ વાંચો : Omicron Crisis : દિલ્હીમાં યલો એલર્ટ ! સ્કુલ કોલેજ, મલ્ટીપ્લેક્સ-બેન્ક્વેટ હોલ, જીમ બંધ, જાણો શું રહેશે ખુલ્લું ?

આ પણ વાંચો : દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

Published On - 4:54 pm, Tue, 28 December 21

Next Article