Omicron: કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી, કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી સતર્ક રહેવા સૂચના આપી

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે આ અંગે માહિતી આપી છે.

Omicron: કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી, કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી સતર્ક રહેવા સૂચના આપી
Omicron variant (File Photo)
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:40 PM

વિશ્વભરમાં કોરોના (Corona)ના નવા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ના કેસ વધતા જઇ રહ્યા છે. ભારતમાં પણ  નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઇને હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય(Union Ministry of Health) પણ ચિંતામાં આવ્યુ છે. તેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના દરેક રાજ્યોને પત્ર લખીને સતર્કતા રાખવા જણાવ્યુ છે.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લખ્યો પત્ર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોનાનું ઓમિક્રોન પ્રકાર ડેલ્ટા કરતા 3 ગણું વધુ ચેપી છે. આવી સ્થિતિમાં રાજ્યોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે આ અંગે માહિતી આપી છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે “ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછામાં ઓછા 3 ગણું વધુ ચેપી છે. તેથી, સ્થાનિક અને જિલ્લા સ્તરે વધુ દૂરદર્શિતા, ડેટા વિશ્લેષણ, ઝડપી નિર્ણય લેવાની અને કડક નિવારક પગલાંની જરૂર છે.

 

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ ગતિ પકડી રહ્યા છે. મંગળવાર બપોર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 200થી વધુ કેસ (Omicron Cases) નોંધાઇ ગયા છે. આમાં સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના 54થી વધુ કેસ નોંધાયા છે જેમાંથી 12 દર્દીઓ સાજા થયા છે અને અન્દય ર્દીઓ હોસ્પિટલમાં અને આઇસોલેશનમાં છે. મહારાષ્ટ્રમાં પણ 60થી વધુ કેસ નોંધાયા છે, પરંતુ અહીં સાજા થનારા દર્દીઓની સંખ્યા દિલ્હી કરતા વધુ છે. અહીં ઓમિક્રોનના 28 દર્દીઓ સાજા થયા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સિવાય તેલંગાણા ત્રીજા સૌથી વધુ કેસ ધરાવે છે, જ્યાં 20 કેસ નોંધાયા છે. કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાયેલા છે.

મંગળવારે સામે આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કુલ કેસોની (Corona Cases) સંખ્યા 3,47,52,164ને પાર પહોંચી ગઈ છે. તેમજ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 79,097 થઈ ગઈ છે, જે 574 દિવસમાં સૌથી ઓછી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર TET કૌભાંડ: રાજ્ય પરીક્ષા કમિશ્નરના ઘરેથી દોઢ કરોડની રોકડ અને દોઢ કિલો સોનું ઝડપાયું, પૂણે પોલીસની કાર્યવાહી

Published On - 8:34 pm, Tue, 21 December 21