Corona Vaccination: 15-18 વર્ષની વય જૂથના 50% થી વધુ બાળકોને રસી મળી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી

|

Jan 18, 2022 | 10:49 PM

જણાવી દઈએ કે 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન 3 જાન્યુઆરી 2022થી શરૂ થયું હતું. 15 દિવસમાં 50 ટકા બાળકોને રસી આપવી એ ખરેખર ઐતિહાસિક છે.

Corona Vaccination: 15-18 વર્ષની વય જૂથના 50% થી વધુ બાળકોને રસી મળી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી
Corona Vaccination - File Photo

Follow us on

દેશમાં કોરોનાનો (Corona) પ્રકોપ વધતો જાય છે, તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો રસી (Corona Vaccine) છે. વાયરસથી બચવા માટે રસીને રક્ષણાત્મક કવચ તરીકે જોવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરને જોતા દેશમાં રસીકરણ અભિયાન તેજ થયું છે. આ અભિયાનમાં તમામ વયજૂથના લોકોને રસી આપવામાં આવી રહી છે. 15-18 વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. આ ક્રમમાં મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 15-18 વર્ષની વયના 50 ટકાથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 15-18 વર્ષની વય જૂથની અંદાજિત 7.4 કરોડ વસ્તી છે. તેમાંથી અત્યાર સુધીમાં 3.45 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને તેમને 28 દિવસમાં બીજો ડોઝ આપવામાં આવનાર છે.

જણાવી દઈએ કે 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન 3 જાન્યુઆરી 2022થી શરૂ થયું હતું. 15 દિવસમાં 50 ટકા બાળકોને રસી આપવી એ ખરેખર ઐતિહાસિક છે. જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 158 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 39 લાખથી વધુ નવા લોકોને રસી આપવામાં આવી છે. તે જ સમયે, દેશના 76 ટકા લોકોને બીજા ડોઝ સાથે રસી આપવામાં આવી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

12-14 વર્ષના બાળકોના રસીકરણ અંગે હજુ કોઈ નિર્ણય નથી

સત્તાવાર સ્ત્રોત અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 12-14 વર્ષના બાળકોના રસીકરણ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અગાઉ એવા સમાચાર હતા કે માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારના કોરોના કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર માર્ચમાં 12-14 વર્ષની વય જૂથ માટે રસીકરણ અભિયાન શરૂ કરવા માટે નીતિગત નિર્ણય લઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,38,018 નવા કેસ, 310ના મોત

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2,38,018 નવા કેસ નોંધાયા છે અને 1,57,421 લોકો સ્વસ્થ થયા છે. તે જ સમયે, કોરોનાથી 310 લોકોના મોત થયા છે. દેશમાં ગઈકાલ (સોમવાર) કરતા આજે એટલે કે મંગળવારના દિવસે 20,071 ઓછા કેસ નોંધાયા છે. સોમવારે કોરોના વાયરસના 2,58,089 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા 17,36,628 છે. તે જ સમયે, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 8,891 છે.

 

આ પણ વાંચો : Corona India Update: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના સંબધિત જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપી

આ પણ વાંચો : કોરોના વિસ્ફોટ, દિલ્લીમા 11684, મુંબઈમાં 6149, ગુજરાતમાં 17119 કેસ, જાણો કયા રાજ્યમાં કેટલા નોંધાયા કોવિડ 19ના કેસ ?

Next Article