Good News : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, 12-14 વર્ષના બાળકોને આ મહીનાથી આપવામાં આવશે વેક્સિન

|

Jan 17, 2022 | 11:24 AM

હાલમાં દેશમાં 15-17 વર્ષની વયના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન અન્ય એક સારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં NTAGI ચીફ ડૉ એન કે અરોરાએ કહ્યું કે 12-14 વર્ષના બાળકોને માર્ચથી વેક્સિન લગાડવાનું શરૂ કરશે.

Good News : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, 12-14 વર્ષના બાળકોને આ મહીનાથી આપવામાં આવશે વેક્સિન
child vaccination ( Symbolic photo)

Follow us on

દેશમાં કોરોના (Covid-19) અને તેના નવા પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવી છે. હાલમાં દેશમાં 15-17 વર્ષની વયના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન, અન્ય એક સારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI) ના અધ્યક્ષ ડૉ એન કે અરોરાએ જણાવ્યું છે કે 12-14 વર્ષના બાળકોને માર્ચથી રસી આપવાનું શરૂ થઈ જશે. જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 15-17 વર્ષના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

અત્યાર સુધીમાં લગભગ 45% બાળકોને રસી આપવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે માત્ર 13 દિવસમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતમાં 15-17 વર્ષના બાળકો માટે રસીકરણ પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરૂ થઈ છે. ડૉ. અરોરાએ કહ્યું, ‘જાન્યુઆરીના અંત સુધીમાં 15-17 વર્ષની વયના 7.4 કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે.’

વધુમાં કહ્યું હતું કે, ‘આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી અમે આ બાળકોને બીજો ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં દરેકને રસીનો બીજો ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ. જેમાં પાંચ મતદાન રાજ્યોમાં તૈનાત મતદાન કર્મચારીઓ અને 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું

દેશમાં રસીકરણ અભિયાનને રવિવારે એક વર્ષ પૂર્ણ થયું. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે 16 જાન્યુઆરીથી દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપીને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવા માટે સરકારને સખત મહેનત કરવી પડી હતી. એક તરફ લોકોને રસીકરણ વિશે જાગૃત બનાવવું એ એક મોટો પડકાર હતો, તો બીજી તરફ તેની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા.

આ પણ વાંચો : Birju maharaj : પ્રખ્યાત કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો : Maharashtra : ભિવંડીના બંધ કાપડના કારખાનામાં ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ

Next Article