Corona 3rd Wave : ભારતમાં ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર? જાણો નિષ્ણાતોએ શું જવાબ આપ્યો

|

Jun 18, 2021 | 5:42 PM

Corona 3rd Wave : દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરના આ સર્વેમાં વિશ્વભરના 40 આરોગ્ય સંભાળ નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિકો, વાઈરોલોજિસ્ટ્સ અને રોગચાળાના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Corona 3rd Wave : ભારતમાં ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર? જાણો નિષ્ણાતોએ શું જવાબ આપ્યો
FILE PHOTO

Follow us on

Corona 3rd Wave : દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી છે. હવે નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર વયસ્કો અને વૃદ્ધો સાથે બાળકો પણ કોરોના સંક્રમણનો વધુ પ્રમાણમાં ભોગ બનશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. પણ કોરોનાની સંભાવિત ત્રીજી લહેર દેશમાં ક્યારે આવશે? આ પ્રશ્નનો કેટલાક નિષ્ણાતોએ જવાબ આપ્યો છે.

ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર?
કેટલાક તબીબી નિષ્ણાતોએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર (Corona 3rd Wave) ઓક્ટોબર સુધીમાં આવી શકે છે. સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા કરાયેલા સર્વેમાં નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે ભારત બીજી લહેર કરતા ત્રીજી લહેર સામે વધુ સારી રીતે લડશે. તેમણે કહ્યું છે કે કોરોના મહામારી હજી પણ ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાહેર આરોગ્ય માટે ચિંતાનું કારણ બની રહેશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

દુનિયાભરના 40 નિષ્ણાતોનો સર્વે
આ સર્વેમાં વિશ્વભરના 40 આરોગ્ય સંભાળ નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિકો, વાઈરોલોજિસ્ટ્સ અને રોગચાળાના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3 જૂન થી 17 જૂનની વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં કોરોનાની ત્રીજી લહેર (Corona 3rd Wave) ઓક્ટોબર સુધીમાં આવશે તેવું 24 માંથી 21 અથવા 85% નિષ્ણાતોએ કહ્યું હતું. અન્ય ત્રણ નિષ્ણાતોએ ઓગસ્ટમાં તેના આગમનની આગાહી કરી છે, જ્યારે 12 નિષ્ણાતોએ સપ્ટેમ્બરમાં તેની શરૂઆતની આગાહી કરી છે. અન્ય નિષ્ણાતોએ કહ્યું કે કરોનાની ત્રીજી લહેર નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે આવી શકે છે.

ભારત ત્રીજી લહેર સામે વધુ સારી રીતે લડશે
દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર (Corona 3rd Wave) અંગેના સર્વેમાં 34 માંથી 24 નિષ્ણાતો સંમત થયા કે ભારત બીજી લહેર કરતા ત્રીજી લહેર સામે વધુ સારી રીતે લડશે.ભારતમાં બીજી લહેરની પીક એપ્રિલ-મેમાં હતી. આ સમયગાળા દરમિયાન દેશમાં રેકોર્ડ કેસ નોંધાયા હતા.24 કલાકમાં ચાર લાખથી વધુ કેસ નોંધાયા હતા અને દેશના ઘણા ભાગોમાં ઓક્સિજન, દવા અને હોસ્પિટલના બેડની અછત હતી. જો કે, ત્યારબાદ કોરોના કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. 18 જૂન, શુક્રવારે ભારતમાં કોરોનાના 62 હજાર નવા કેસો મળી આવ્યા છે.

Next Article