વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીમાં બાર અને રેસ્ટોરાં બંધ, DDMA એ માત્ર ‘ટેક અવે’ સેવા ચાલુ રાખવાની મંજૂરી આપી

|

Jan 10, 2022 | 8:35 PM

શનિવાર અને રવિવારના દિવસે લોકોને જરૂરી કામ સિવાય બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કોરોના કેસમાં ઘટાડો થવાનું આ પણ એક મોટું કારણ હોઈ શકે છે.

વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીમાં બાર અને રેસ્ટોરાં બંધ, DDMA એ માત્ર ટેક અવે સેવા ચાલુ રાખવાની મંજૂરી આપી
Amidst the increasing cases of Corona, an important decision was taken in the DDMA meeting today

Follow us on

Delhi Corona Cases:દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આજે DDMAની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેસ્ટોરન્ટ અને બાર(Restaurant and bar)બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન માત્ર ‘ટેક અવે’ સુવિધા ચાલુ રાખવા સંમતિ આપવામાં આવી છે. દિલ્હીના દરેક ઝોનમાં દરરોજ માત્ર એક સાપ્તાહિક બજાર શરૂ કરી શકાય છે. આ નિર્ણય દિલ્હીના એલજી દ્વારા પણ લેવામાં આવ્યો છે. 

ડીડીએમએની બેઠક(DDMA Meeting)માં લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના આરોગ્ય વિભાગને હોસ્પિટલોમાં મેનપાવર વધારવા પર ભાર આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, 15-18 વર્ષની વયના લોકો સહિત તમામનું રસીકરણ વધારવા પર ભાર મૂકવો. રાજધાનીમાં વધતા કોરોના સંક્રમણની સ્થિતિને જોતા લેફ્ટનન્ટ ગવર્નરે ડીડીએમએની બેઠકમાં આ નિર્દેશો આપ્યા છે. 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દિલ્હીમાં રેસ્ટોરાં અને બાર પર પ્રતિબંધ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકાર સાથેની બેઠકમાં નિર્ણય લીધો કે કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રેસ્ટોરાં અને બાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.ફક્ત ટેકવેની સુવિધા ચાલુ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે દરેક ઝોનમાં દરરોજ માત્ર એક સાપ્તાહિક બજાર ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 

ચેપના નવા કેસ 19 હજારને પાર

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ચેપના 19 હજારથી વધુ કેસ નોંધાયા છે. આજે સંક્રમણનો આંકડો છેલ્લા બે દિવસ કરતા ઓછો છે. આ રાહતના સમાચાર છે. વાસ્તવમાં દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. શનિવાર અને રવિવારના દિવસે લોકોને જરૂરી કામ સિવાય બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કેસમાં ઘટાડો થવાનું આ પણ એક મોટું કારણ હોઈ શકે છે. 

 

‘એક ઝોનમાં માત્ર એક જ સાપ્તાહિક બજાર યોજાશે’

તમામ પ્રતિબંધો છતાં દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જ કારણ છે કે ડીડીએમએની બેઠકમાં કેટલાક વધુ કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરેખર, મોટી સંખ્યામાં લોકો રેસ્ટોરન્ટ અને બારમાં પહોંચે છે, જેના કારણે ચેપનું જોખમ ઝડપથી વધી જાય છે. તે જ સમયે, સાપ્તાહિક બજારોમાં ભીડને કારણે, ચેપનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. આ જ કારણ છે કે ઉપરાજ્યપાલે તેમને હાલ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે એક ઝોનમાં દિવસમાં માત્ર એક જ માર્કેટ થઈ શકશે.

 

આ પણ વાંચો:કેપ્ટન અમરિન્દર સિંહ ‘હોકી સ્ટીક’ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે, પાર્ટીએ કહ્યું ‘હવે બસ ગોલ કરવાનો બાકી’

આ પણ વાંચો:Rajnath Singh Covid Positive: રક્ષા મંત્રી રાજનાથ સિંહને થયો કોરોના, પોતાને કર્યા હોમ ક્વોરેન્ટાઈન

Next Article