કોરોનાને ફેલાતો અટકાવવા એડવાઈઝરી જાહેર, ભીડભાડમાં માસ્ક જરૂરી, બૂસ્ટર ડોઝ ના લીધો હોય તો લઈ લેજો તે ફરજિયાત છે

|

Dec 21, 2022 | 3:09 PM

New Advisory for Corona : નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે કહ્યું છે કે, જો તમે એક કરતા વધુ રોગથી પિડાઈ રહ્યાં છો અથવા તો તમે વૃદ્ધ હોવ તો, તમે ભીડવાળી જગ્યાએ જાવ ત્યારે તમે કોઈ ઘર કે ઓફિસની અંદર હોવ કે બહાર હોવ, તો માસ્કનો ઉપયોગ અવશ્ય કરો.

કોરોનાને ફેલાતો અટકાવવા એડવાઈઝરી જાહેર, ભીડભાડમાં માસ્ક જરૂરી, બૂસ્ટર ડોઝ ના લીધો હોય તો લઈ લેજો તે ફરજિયાત છે
Women wearing masks (file photo)

Follow us on

ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના મહામારીના કેસને લઈને કેન્દ્ર સરકાર સતર્ક બની છે. કોરોનાને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં તમે જાવ ત્યારે તમે ઘર કે ઓફિસની અંદર કે બહાર હોવ તો પણ માસ્ક પહેરો. આ ઉપરાંત, જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ, જેથી કરીને કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

ડૉ. વીકે પૉલે કહ્યું છે કે જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હોવ, તો તમારે માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે તેમજ જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી માત્ર 27 થી 28 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે બૂસ્ટર ડોઝ મેળવનારાઓની સંખ્યા વધારવી પડશે. અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ મેળવી લેવા માટે અપીલ કરીએ છીએ. બૂસ્ટર ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેઠકના મહત્વના મુદ્દા-

  1. મોનિટરિંગ વધારવામાં આવશે.
  2. ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવશે.
  3. રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે.
  4. નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી.
  5. દર અઠવાડિયે એકવાર બેઠક યોજાશે.
  6. ઉડ્ડયન માટે હાલ કોઈ સલાહ નથી.

હવે દર અઠવાડિયે સરકાર આ મામલે બેઠક કરશે

સરકારે કહ્યું કે હવે મોનિટરિંગ વધારવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે ક્રિસમસ, નવા વર્ષ અને તહેવારો પર કોઈ પ્રતિબંધ કે નિયંત્રણ લાદવામાં આવ્યા નથી. સરકાર હવે દર સપ્તાહે કોરોના મુદ્દે બેઠક યોજવામાં આવશે અને કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તે મુજબ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવશે.

Published On - 3:07 pm, Wed, 21 December 22

Next Article