Railway Recruitment 2021: રેલવેમાં 10 પાસ લોકો માટે અનેક ખાલી જગ્યા, પરીક્ષા વગર મળશે નોકરી

|

Sep 21, 2021 | 1:29 PM

RRB, Railway Recruitment 2021: રેલવેમાં નોકરી શોધી રહેલા લોકોને એપ્રેન્ટિસની 339 જગ્યાઓ માટે અરજી કરવાની તક છે.

Railway Recruitment 2021: રેલવેમાં 10 પાસ લોકો માટે અનેક ખાલી જગ્યા, પરીક્ષા વગર મળશે નોકરી
RRB Recruitment 2021

Follow us on

RRB Recruitment 2021: રેલવેમાં નોકરી શોધી રહેલા લોકો માટે ઘણી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. 10 પાસ લોકો માટે આ એક મોટી સરકારી નોકરીની તક છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) દ્વારા અનેક પોસ્ટ્સની ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર 2021 છે. આ તારીખ પછી એપ્લિકેશન લિંક દૂર કરવામાં આવશે. અરજી પ્રક્રિયા ફક્ત ઓનલાઈન જ પૂર્ણ કરી શકાય છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે 339 એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી કરશે. આ જગ્યા 10 પાસ વિદ્યાર્થીઓ માટે છે. આ ભરતી રેલવેના વિવિધ વિભાગો માટે થશે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હો, તો તમારે નીચે આપેલી માહિતી કાળજીપૂર્વક વાંચવી જોઈએ.

પોસ્ટનું નામ

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વેલ્ડર

સુથાર

ફિટર

ઇલેક્ટ્રિશિયન

સ્ટેનો

વાયરમેન

ઇલેક્ટ્રોનિક મિકેનિક

મિકેનિક ડીઝલ

લાયકાત

10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારોને સંબંધિત ટ્રેડમાં ITI કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ધોરણ 10 અને ITI માં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

આ રીતે અરજી કરો

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ apprenticeship.org ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

CLW માં એપ્રેન્ટિસના પદ માટે અનેક જગ્યા ખાલી

એપ્રેન્ટિસના પદ પર ભરતી માટે ચિત્તરંજન લોકોમોટિવ વર્કશોપ દ્વારા બમ્પર ખાલી જગ્યાઓ જારી કરવામાં આવી છે. આ ખાલી જગ્યા અનુસાર, કુલ 492 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. તેમાં અરજી કરવા માટે clw.indianrailways.gov.in વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે.

ચિત્તરંજન લોકોમોટિવ વર્કશોપ (CLW) દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા માટેની અરજીની પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2021 થી શરૂ થઈ છે. એપ્રેન્ટિસના પદ પર ભરતી માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યામાં, અરજી પ્રક્રિયા 3 ઓક્ટોબર 2021 સુધી ચાલુ રહેશે. તેમાં સંપૂર્ણ ફોર્મ ભરવા માટે 3 ઓક્ટોબર સુધીનો જ સમય છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના તપાસવી આવશ્યક છે.

આ પણ વાંચો : NIACL AO Recruitment 2021: ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે, આ રીતે અરજી કરો

આ પણ વાંચો : રેલવેએ યુવાનો માટે શરૂ કરી વિશેષ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે તૈયાર કરશે

Next Article