New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

|

Sep 05, 2021 | 9:15 AM

સરકાર 1 એપ્રિલ, 2021 થી નવા લેબર કોડમાં નિયમો લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારીના અભાવે અને કંપનીઓને એચઆર પોલિસી (HR Policy)બદલવા માટે વધુ સમય આપવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતા.

સમાચાર સાંભળો
New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર
Symbolic Image

Follow us on

આગામી મહિને ઓક્ટોબર 2021થી નોકરી કરતા લોકો માટે મોટો ફેરફાર થવાનો છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી શ્રમ કાયદા (New Wage Code) ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જો આ નિયમ લાગુ કરવામાં આવે તો 1 ઓક્ટોબરથી તમારા કાર્યાલયનો સમય વધશે. નવા શ્રમ કાયદામાં કહેવામાં આવ્યું છે કે 12 કલાક કામ કરો. આ સિવાય તમારા હાથમાં પગાર પણ આ કાયદાથી પ્રભાવિત થશે. જાણો નવા લેબર કોડ તમારા પર શું અસર કરી શકે છે.

પગાર સંબંધિત મહત્વના નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે
સરકાર 1 એપ્રિલ, 2021 થી નવા લેબર કોડમાં નિયમો લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારીના અભાવે અને કંપનીઓને એચઆર પોલિસી (HR Policy)બદલવા માટે વધુ સમય આપવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતા. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર 1 જુલાઈથી શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગતી હતી પરંતુ રાજ્યોએ આ નિયમોના અમલ માટે વધુ સમય માંગ્યો હતો જેના કારણે તેમને 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા.

હવે શ્રમ મંત્રાલય અને મોદી સરકાર 1 ઓક્ટોબર સુધીમાં શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગે છે. ઓગસ્ટ 2019 ના રોજ સંસદે ત્રણ શ્રમ સંહિતા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, કામની સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સંબંધિત નિયમો બદલ્યા છે. આ નિયમો સપ્ટેમ્બર 2020 ના રોજ પસાર કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

12 કલાકની નોકરી
નવા ડ્રાફ્ટ કાયદામાં કામના મહત્તમ કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, મજૂર સંગઠનો 12 કલાકની નોકરીનો વિરોધ કરી રહ્યા છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15 થી 30 મિનિટ સુધી વધારાના સમયની ગણતરી કરીને ઓવરટાઇમમાં 30 મિનિટ સુધીના વધારાના કામનો સમાવેશ કરવાની જોગવાઇ છે. વર્તમાન નિયમ હેઠળ, 30 મિનિટથી ઓછો સમય ઓવરટાઇમને પાત્ર ગણવામાં આવતો નથી. ડ્રાફ્ટ નિયમો કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય સુધી સતત કામ કરવાની મનાઈ ફરમાવે છે. કર્મચારીઓએ દર પાંચ કલાક બાદ અડધો કલાકનો આરામ આપવો પડશે.

પગાર ઘટશે અને પીએફ વધશે
નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, બેઝિક કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારનું માળખું બદલાશે. મૂળભૂત પગારમાં વધારા સાથે, પીએફ અને ગ્રેચ્યુઇટી માટે કાપવામાં આવેલી રકમમાં વધારો થશે કારણ કે આમાં નાણાં મૂળ પગારના પ્રમાણમાં છે. જો આવું થાય તો તમારા ઘરે આવતો પગાર ઘટશે નિવૃત્તિ પર મળતા પીએફ અને ગ્રેચ્યુટી નાણાં વધશે.

 

આ પણ વાંચો :  નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા

 

આ પણ વાંચો :  PNB લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે

 

 

 

Next Article