Indian Navy Agniveer Recruitment 2023 : ભારતીય નૌકાદળમાં અગ્નિવીરની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નેવી અગ્નિવીર SSR દ્વારા કુલ 1365 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 29 મેથી શરૂ થશે. આમાં અરજી કરવા માટે, ભારતીય નૌકાદળની ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જવું પડશે.
આ પણ વાંચો : Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર, સીધી લિંક પરથી અહીં તપાસો
ભારતીય નૌકાદળ દ્વારા જાહરે કરવામાં આવેલી સૂચના અનુસાર Navy Agniveer SSR & MR માટે નોંધણી ઓનલાઈન લેવામાં આવી રહી છે. આમાં, તમે 15 જૂન 2023 સુધી અરજી કરી શકો છો. તે જ સમયે પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તમે આમાં અરજી કરવાની ચોક્કસ રીત નીચે જોઈ શકો છો.
અગ્નવીર પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્રની 10+2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારોએ 12માં ઓછામાં ઓછો એક વિષય રસાયણશાસ્ત્ર અથવા જીવવિજ્ઞાન અથવા કમ્પ્યુટર સાયન્સ હોવો આવશ્યક છે.
આ ખાલી જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા બે તબક્કાની હશે. જેમાં પ્રથમ કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ આપવાની રહેશે. લેખિત પરીક્ષામાં પ્રશ્નપત્ર કોમ્પ્યુટર આધારિત હશે, જેમાં કુલ 100 પ્રશ્નો હશે, દરેક પ્રશ્ન 01 માર્કનો હશે.
માત્ર અપરિણીત ભારતીય પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ નોંધણી માટે પાત્ર છે. ઉમેદવારોએ પરીક્ષા સમયે ‘અપરિણીત’ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અગ્નિવીરોને તેમના ચાર વર્ષના સમગ્ર કાર્યકાળ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.