વાયુસેના અગ્નિવીર ભરતી માટે થયેલી પરીક્ષા અગ્નિપથ વાયુનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેના IAFએ સીડેક ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર ફેઝ 1 લેખિત પરીક્ષા પરિણાની જાહેરાત કરી છે. તેની સાથે જ Agniveer Vayu ફેઝ 2 પરીક્ષાના એડમિટ કાર્ડ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.
એરફોર્સ રિક્રૂટમેન્ટ માટે અગ્નિવીર વાયુ પરીક્ષા 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2023 સુધી લેવામાં આવી હતી. જો તમે આ પરીક્ષામાં સામેલ થયા હતા તો અહીં આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક દ્વારા સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો: ચીનની સરહદ પાસેના ગામડાઓનો થશે વિકાસ, મળશે રોજગારી, જાણો સરકારનો પ્લાન
INDIAN Air Forceએ જણાવ્યું કે અગ્નિપથ વાયુ પરિણામ ઓફિશિયલ વેબસાઈટ પર 23 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. આ પરીક્ષામાં સાયન્સ ગ્રુપ માટે કટઓફ માર્ક્સ 39.5 રહ્યા છે. અન્ય વિષયો માટે કટઓફ 40.5 રહ્યુ.
જો તમે અગ્નિપથ વાયુ પરીક્ષા પાસ કરી લીધી છે, એટલે કટ ઓફ પોઈન્ટ મેળવ્યા છે તો તમે આગળની સિલેક્શન પ્રોસેસમાં સામેલ થઈ શકો છો. આગળ ઈન્ડિયન એરફોર્સ દ્વારા Agniveervayu Phase 2 ટેસ્ટ લેવામાં આવશે. 01/2023 અગ્નિવીર ઈનટેક માટે ફેઝ 2ના એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. તેમને agnipathvayuની વેબસાઈટ પર જ જાહેર કરવામાં આવ્યા છે.
પણ તેને ડાઉનલોડ કરતા પહેલા તમારે અન્ય જરૂરી જાણકારી ભરવી પડશે. તમે તમારા કેન્ડિડેટ લોગિન દ્વારા IAF દ્વારા માંગવામાં આવેલી બાકી જાણકારી ભરો અને 23 ફેબ્રુઆરી 2023 સુધી પોતાના agnipathvayu Phase 2 admit card ડાઉનલોડ કરી લો.
ડાયરેક્ટ લિંકથી agneepath vayu result 2023 download કરો.
બીજા ફેઝમાં SSB ઈન્ટરવ્યુ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. તેમાં ક્વોલિફાય કર્યા બાદ કેન્ડિડેટ્સને મેડિકલ પરીક્ષા માટે અપીયર થવું પડશે. તેમાં ટેસ્ટ થશે કે તમે એરફોર્સ ઓફિસર બનવા માટે શારિરિક અને માનસિક રીતે ફિટ છો કે નહીં.