IAS અધિકારી બનવાનું અને વંચિતોની સેવા કરવાનું સ્વપ્ન સાકાર થયું: UPSC ટોપર શુભમ કુમાર

|

Sep 25, 2021 | 9:07 PM

સિવિલ સર્વિસીઝ પરીક્ષાના ટોપર શુભમ કુમારે શુક્રવારે કહ્યું કે, IAS અધિકારી બનવાનું અને વંચિતોની સેવા કરવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું છે.

IAS અધિકારી બનવાનું અને વંચિતોની સેવા કરવાનું સ્વપ્ન સાકાર થયું: UPSC ટોપર શુભમ કુમાર
UPSC topper Shubham Kumar

Follow us on

સિવિલ સર્વિસીઝ પરીક્ષાના ટોપર શુભમ કુમારે શુક્રવારે કહ્યું કે, IAS અધિકારી બનવાનું અને વંચિતોની સેવા કરવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું છે. તેમણે કહ્યું કે, તેઓ દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગામડાઓના વિકાસ, રોજગારીનું સર્જન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરશે. 24 વર્ષીય કુમારે તેના ત્રીજા પ્રયાસમાં સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું હતું. તે 2018માં પ્રથમ પ્રયાસમાં ક્લિયર કરી શક્યો ન હતો, જ્યારે 2019 માં બીજા પ્રયાસમાં તેને ભારતીય સંરક્ષણ ખાતા સેવા (IDAS) માટે પસંદ કરવામાં આવ્યો હતો.

કુમારે IIT બોમ્બેમાંથી બેચલર ઓફ ટેકનોલોજી (સિવિલ એન્જિનિયરિંગ) માં સ્નાતક થયા અને UPSC પરીક્ષા માટે વૈકલ્પિક વિષય તરીકે માનવશાસ્ત્ર પસંદ કર્યું. કુમાર જે બિહારના કટિહાર જિલ્લાના છે, હાલમાં નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ પુણેમાં તાલીમ લઈ રહ્યા છે.

તેમણે કહ્યું, “મારું સ્વપ્ન આઇએએસ બનવાનું હતું કારણ કે તે લોકોની સુધારણા માટે મોટા પ્લેટફોર્મ પર કામ કરવાની તક આપે છે. તે પૂર્ણ થયું છે અને હું ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વંચિતો માટે કામ કરવાનું પસંદ કરીશ.” બે ભાઈ-બહેનોમાં કુમારની મોટી બહેન ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) માં વૈજ્ઞાનિક છે. કુમારે કહ્યું, “મારા પિતા મને પ્રોત્સાહિત કરતા હતા અને મને સકારાત્મક વલણ જાળવવામાં મદદ કરતા હતા જેણે મને પરીક્ષા પાસ કરવામાં મદદ કરી હતી.”

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બિહાર કેડર મારી પ્રથમ પ્રાથમિકતા છે

શુભમે કહ્યું કે, બિહાર કેડર મારી પ્રથમ પ્રાથમિકતા છે, “મેં મારી પ્રથમ પસંદગીમાં બિહાર પસંદ કર્યું છે. હું જે વિસ્તારમાંથી આવ્યો છું તેના માટે કામ કરવા માંગુ છું. સિવિલ સર્વિસમાં જોડાવા પાછળનો વિચાર એ હતો કે, હું ગ્રામીણ વિકાસ માટે કામ કરીશ. જો મને બિહાર કેડર મળે તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. આ સાથે, મેં IASને મારી પ્રથમ પ્રાથમિકતા બનાવી છે. હું ભારતીય વહીવટી સેવા માટે કામ કરવા માંગુ છું. અને આ સેવા માટે મને જે પણ કામ મળશે, હું તેને મારી બધી શક્તિથી પૂર્ણ કરીશ.”

 

આ પણ વાંચો: ONGC recruitment 2021: ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

 

Next Article