આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત

|

Mar 06, 2022 | 9:20 AM

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જો તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો.

આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત
PIB Fact Check

Follow us on

શું તમે ભારત મિશન રોજગાર યોજના નામની કોઈ વેબસાઈટ(Fake Website) જોઈ છે જે દાવો કરે છે કે તમને સરકારી નોકરી(Government Job) મળશે અને આ માટે તમારે અરજી ફી તરીકે અમુક પૈસા ચૂકવવા પડશે. જો એમ હોય તો તમને જણાવી દઈએ કે આ વેબસાઈટ સંપૂર્ણપણે બોગસ છે. ભારત સરકાર આવી કોઈ વેબસાઈટ કે સ્કીમ ચલાવી રહી નથી. આ લોકોને છેતરવાનો એક કારસો હોઈ શકે છે તેથી તેનાથી બચવું જરૂરી છે. આ માહિતી PIB Fact Check દ્વારા આપવામાં આવી છે. PIB ફેક્ટ ચેકે ટ્વિટ કર્યું છે કે ભારતીય મિશન રોજગાર યોજના નામની વેબસાઇટ રૂ. 1280ની અરજી ફીના બદલામાં બેરોજગારોને સરકારી નોકરી આપવાનો દાવો કરી રહી છે. તેમણે કહ્યું છે કે આ વેબસાઈટ બોગસ છે.

PIB ફેક્ટ ચેકે વધુમાં જણાવ્યું કે ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. તેમણે કહ્યું કે આવી છેતરપિંડીથી સાવધ રહો. તેથી, જો તમે આ વેબસાઈટ જોઈ હોય અથવા અન્ય કોઈએ તમને WhatsApp પર તેની લિંક મોકલી હોય તો સાવચેત રહો. વિશ્વાસ કરશો નહીં. નહિંતર તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. લોકોને ફસાવવાની આ એક રીત છે.

ફી ચૂકવશો નહીં

ખોટા મેસેજમાં ફસાઈને કોઈ રકમની ચૂકવણી કરશો નહીં. આ ઉપરાંત જો તમને નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ આઈડી અને ખાસ કરીને બેંક ખાતાની માહિતી જેવી કોઈ અંગત વિગતો માટે પૂછવામાં આવે તો તે બિલકુલ પ્રદાન કરશો નહીં. તેનો ઉપયોગ તમને છેતરવા માટે થઈ શકે છે. અને ગુનેગારો મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. અન્ય લોકોને પણ જણાવો કે આ વેબસાઇટ નકલી છે. જેથી તે વાયરલ ન થાય.

PIB ફેક્ટ ચેક શું છે?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જો તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઈલ નંબર 918799711259 પર કોલ કરી શકો છો. અથવા socialmedia@pib.gov.in ઈમેઈલ આઈડી પર મોકલી શકો છો.

મેસેજ ફોરવર્ડ કરવાનું પણ ટાળો

તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે. ઉપરાંત, જો તમને તમારી વ્યક્તિગત, ખાસ કરીને બેંકિંગ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ વગેરે માટે પૂછવામાં આવે તો તે બિલકુલ આપશો નહીં.

આ વિગતોનો લાભ લઈને, ગુનેગારો તમારી સાથે બેંક છેતરપિંડી કરી શકે છે. તેઓ મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફેક મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેસેજમાં લખ્યું છે કે પીએમ સ્કીમ હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના દરે લોન લઈ શકાય છે. આ સાથે મેસેજમાં જોવા મળી રહ્યું છે કે 50 ટકા વ્યાજ માફ કરવામાં આવશે.

આ પણ વાંચો : શેરબજારમાં કડાકા યથાવત રહેશે સસ્તી કિંમતે ખરીદારી માટે રાહ જોવી જોઈએ : Zerodha કો ફાઉન્ડર નિખિલ કામતની રોકાણકારોને સલાહ

 

આ પણ વાંચો : Russia-Ukraine War: Coca Cola અને Danone જેવી મોટી કંપનીઓએ કારોબાર સમેટયો, કરો એક નજર લિસ્ટ ઉપર

Next Article