Indian Army Recruitment: સેનામાં જૂની વેકેન્સી રદ, અગ્નિપથ યોજનાથી જ ભરતી થશે સૈનિકો, આ રહ્યું અગ્નિવીર આર્મીનું ફોર્મ

|

Jul 01, 2022 | 9:57 PM

ભારતીય સેના અગ્નિવીર ભરતી 2022 ફોર્મ (Indian Army Agniveer Registration Form) જાહેર કરવામાં આવ્યું છે. Indian Armyની ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર અગ્નિપથ યોજના હેઠળ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સેના ભરતી રેલીની નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ આ સમાચારમાં આપવામાં આવ્યું છે.

Indian Army Recruitment: સેનામાં જૂની વેકેન્સી રદ, અગ્નિપથ યોજનાથી જ ભરતી થશે સૈનિકો, આ રહ્યું અગ્નિવીર આર્મીનું ફોર્મ
Indian Army Recruitment

Follow us on

Indian Army Agniveer Registration Form: ભારતીય સેનામાં અગ્નિવીર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતીનું નોટિફિકેશન જાહેર કરી હતી. તે પછી સેના ભરતી રેલી 2022નું શેડ્યુલ (Army Rally 2022 Date) આવ્યું. હવે આ માટેનું ઓનલાઈન અરજી ફોર્મ પણ સોનાની ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. જો તમારે ભારતીય સેનામાં જોબ જોઈએ છે તો અગ્નિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો પડશે. કારણ કે સેનાએ તમામ જૂની વેકેન્સી રદ કરી દીધી છે. સેનાએ જણાવ્યું છે કે ઉમેદવારો તેમની લાયકાત મુજબ અગ્નિવીર આર્મી રેલી 2022 માટે એપ્લાય (Army Agniveer Apply) કરી શકે છે. રજિસ્ટ્રેશન/એપ્લિકેશન પ્રોસેસ આ સમાચારમાં જણાવવામાં આવી રહી છે. આ સાથે નોટિફિકેશન અને ફોર્મની ડાયરેક્ટ લિંક પણ આપવામાં આવી છે.

Indian Army CEE સહિતની તમામ જૂની ભરતીઓ

ભારતીય સેનાએ તેની વેબસાઈટ joinindianarmy.nic.in પર સૂચના આપી છે કે સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાના લાગુ હોવાને કારણે હવે તમામ જૂની વેકેન્સી રદ કરવામાં આવી રહી છે. સેનામાં ભરતી માટે કોઈ કોમન એન્ટ્રેસ એકઝામ (આર્મી CEE) પણ નહીં હોય. લાયક ઉમેદવારો હવે સેનામાં ભરતી માટે અગ્નિપથ સ્કીમ દ્વારા એપ્લાય કરી શકે છે.

Army Job Vacancy 2022: આ પદો માટે થશે ભરતી

સેનામાં અગ્નિપથ યોજના હેઠળ જે પદો પર ભરતી કરવામાં આવશે, તે છે

આ પણ વાંચો

  • અગ્નિવીર જનરલ ડ્યુટી (સશસ્ત્ર દળો) – 10મું પાસ અરજી કરી શકે છે.
  • અગ્નિવીર ટેક – 12 મું પાસ અરજી કરી શકે છે.
  • અગ્નિવીર ટેક (Avn & amn Examiner) – 12 મું પાસ એપ્લાય કરી શકે છે.
  • અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોર કીપર ટેક્નિકલ (સશસ્ત્ર દળો) – 12 મું પાસ એપ્લાય કરી શકે છે.
  • અગ્નિવીર ટ્રેડ્સમેન (સશસ્ત્ર દળો) – આ માટે 10મું પાસ અને 8મું પાસ બંને યોગ્ય હશે. બંને લેવલ માટે અલગ-અલગ વેકેન્સી છે.

આર્મી અગ્નિવીર વય મર્યાદા– આર્મીમાં અગ્નિવીર બનવાની વય મર્યાદા બધા પદો માટે એક સમાન છે. ઓછામાં ઓછા 17.6 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ સુધીના યુવાનો સેના ભરતીમાં ભાગ લઈ શકે છે.

અગ્નિવીર આર્મી ભરતી માટે એપ્લાય કેવી રીતે કરવું?

અગ્નિવીર આર્મી ભરતી 2022નું ફોર્મ ભરવા માટે તમારે પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમે આર્મી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. પરંતુ જો કોઈ ઉમેદવાર પહેલાથી જ Join Indian Army વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે તો ફરીથી રજિસ્ટ્રેશન કરાવાની જરૂર નથી. તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગ ઈન કરીને સીધું જ અગ્નિવીર ફોર્મ ભરી શકો છો. રજિસ્ટ્રેશન પ્રોસેસને આગળ સમજો અને ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને રજિસ્ટર કરો.

આર્મી અગ્નિવીર રજિસ્ટ્રેશન પ્રોસેસ

  • જોઈન ભારતીય આર્મીની વેબસાઈટ joinindianarmy.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર સૌથી ઉપર Agnipath ટેબ દેખાશે, ત્યાં ક્લિક કરો.
  • Join Indian Army Agnipath ની વેબસાઈટ ખુલી જશે. અહીં તમને અગ્નિપથ આર્મી ભરતી સંબંધિત દરેક સૂચના અને નોટિફિકેશનની પીડીએફ મળશે. આ પેજ પર તમે તમારી જમણી બાજુએ Registration અને Apply Onlineની લિંક્સ જોશો.
  • જો તમે રજિસ્ટર કરાવવા માંગતા હો તો રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો અને સ્ક્રીન પર આપેલ માર્ગદર્શિકા વાંચીને પ્રક્રિયા પૂરી કરો. જો પહેલાથી જ રજિસ્ટર છે તો સીધું એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો અને ફોર્મ ભરો.

ડાયરેક્ટ લિંક પરથી અગ્નિપથ આર્મી નોટિફિકેશન 2022 જોવા અને એપ્લિકેશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો –

Agnipath Army Recruitment Notification PDF Download

Agnipath Army Registration Link

Agnipath Army Apply Online Form

Next Article