જુલાઈમાં વેજ થાળી 28 ટકા મોંઘી થઈ અને નોન વેજ થાળીમાં 13 ટકાનો વધારો થયો, ટામેટા બન્યું સૌથી મોટું કારણ

નાણાકીય વર્ષ 2023-24માં આ પહેલીવાર છે જ્યારે વાર્ષિક ધોરણે થાળીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ નોન વેજ થાળીના ભાવમાં જુન મહિનાની સરખામણીએ જુલાઈ મહિનામાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જુલાઈમાં વેજ થાળી 28 ટકા મોંઘી થઈ અને નોન વેજ થાળીમાં 13 ટકાનો વધારો થયો, ટામેટા બન્યું સૌથી મોટું કારણ
Veg Thali
| Edited By: | Updated on: Aug 08, 2023 | 7:05 PM

જુલાઈ મહિનામાં સામાન્ય લોકોની વેજ થાળીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ક્રિસિલના (CRISIL) રિપોર્ટ અનુસાર ભારતમાં વેજ થાળીના ભાવમાં જૂનની સરખામણીમાં જુલાઈમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમાં મોંઘા ટામેટામાં (Tomato Price) 25 ટકાનો વધારો માનવામાં આવી શકે છે. જૂનમાં 33 રૂપિયા પ્રતિ કિલો હતો, જુલાઈમાં તેની કિંમત 233% વધીને 110 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી.

નોન વેજ થાળીના ભાવમાં જુલાઈ મહિનામાં 13 ટકાનો વધારો

વેજ થાળીના ભાવમાં આ વધારો સતત ત્રીજી વખત થયો છે. નાણાકીય વર્ષ 2023-24માં આ પહેલીવાર છે જ્યારે વાર્ષિક ધોરણે થાળીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ નોન વેજ થાળીના ભાવમાં જુન મહિનાની સરખામણીએ જુલાઈ મહિનામાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ખાદ્યતેલ અને રાંધણગેસ સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થયો

CRISIL ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં વર્તમાન ઇનપુટ ખર્ચના આધારે ઘર પર થાળી તૈયાર કરવાના સરેરાશ ખર્ચની ગણતરી કરે છે. જુન મહિનાની સરખામણીએ જુલાઈ મહિનામાં જે ફેરફાર જોવા મળ્યા છે, તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ટામેટા અને અન્ય શાકભાજી ઉપરાંત અનાજ, કઠોળ, મસાલા, ખાદ્યતેલ અને રાંધણગેસ સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ભોજનની થાળીની કિંમતમાં વધારો થાય છે.

બટાટા ડુંગળીના ભાવમાં વધારો થયો

વેજ થાળીમાં રોટલીની સાથે શાક દાળ-ભાત સહિતની વસ્તુઓને સમાવેશ થાય છે. માંસાહારી થાળી માટે દાળને બદલે ચિકન રાખવામાં આવ્યું છે. એજન્સીએ તેના સૂચકમાં જણાવ્યું છે કે ડુંગળી અને બટાટાના ભાવમાં મહિના દર મહિને અનુક્રમે 16 ટકા અને 9 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે ખર્ચ પણ વધી ગયો છે.

લીલા મરચા અને જીરાના ભાવમાં વધારો

ક્રિસિલના અહેવાલ મુજબ મરચા અને જીરાના ભાવમાં પણ વધારો થયો છે. જુલાઈમાં તેમની કિંમતોમાં 69 ટકા અને 16 ટકાનો વધારો થયો હતો. જોકે, થાળીમાં વપરાતા આ ઘટકોના ઓછા જથ્થાને જોતા કેટલાક શાકભાજીની સરખામણીમાં તેમની કિંમતનું યોગદાન ઓછું રહે છે.

આ પણ વાંચો : ખેડૂતોએ મગફળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું, જાણો ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો

માંસાહારી થાળીના ભાવમાં ધીમી ગતિએ વધારો થયો છે કારણ કે ખર્ચના 50 ટકાથી વધુ હિસ્સો ધરાવતા બ્રોઈલરના ભાવમાં જુલાઈમાં 3-5 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. સૂચક અનુસાર, વનસ્પતિ તેલના ભાવમાં મહિના દર મહિને 2 ટકાના ઘટાડાથી ઉછાળામાંથી થોડી રાહત મળી છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:26 pm, Tue, 8 August 23

Follow Us
Loading...
Unable to load recommendations.