UPI પેમેન્ટ પર લાગશે ‘ચાર્જ’? ₹2,000 થી વધુના વ્યવહાર પર ‘મર્ચન્ટ ફી’ લગાવવાની તૈયારીમાં ‘સરકાર’

ભારતમાં દરેક વ્યક્તિના મોબાઈલ ફોનની ઓળખ બની ચૂકેલા યુપીઆઈ (UPI) પેમેન્ટને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ફી એટલે કે વધારાનો ચાર્જ લગાવવાની યોજના પર વિચાર કરી રહી છે.

UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? ₹2,000 થી વધુના વ્યવહાર પર મર્ચન્ટ ફી લગાવવાની તૈયારીમાં સરકાર
| Updated on: Jul 18, 2026 | 8:45 PM

ભારતમાં ડિજિટલ ક્રાંતિની કરોડરજ્જુ બની ચૂકેલા યુપીઆઈ (UPI) ને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર મોટા કોર્પોરેટ અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો માટે 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ્સ પર મર્ચન્ટ ફી (Merchant Fee) એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લગાવવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે, તો તે દેશના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં અત્યાર સુધીનો સૌથી મોટો નીતિગત (Policy) બદલાવ હોઈ શકે છે.

MDR લાગુ કરવા પર વિચાર

એક અહેવાલ અનુસાર, સરકાર મોટા મર્ચન્ટ્સ (વેપારીઓ) ને કરવામાં આવતા UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવા પર વિચાર કરી રહી છે. આ ફી 0.5 ટકાથી ઓછી હોઈ શકે છે અને 2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગુ થઈ શકે છે. MDR એ ફી છે, જે બેંકો રિયલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોસેસ કરવા માટે લે છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે, અત્યારે સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે અને તેના પર બે અઠવાડિયાની અંદર નિર્ણય લેવાની અપેક્ષા છે. MDR માત્ર મોટા મર્ચન્ટ્સ અને બિઝનેસ પર જ લગાવવામાં આવશે.

સતત વધી રહી છે ‘કોસ્ટ’

સરકારના એક અન્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રસ્તાવમાં ગ્રાહકો પાસેથી UPI વાપરવા માટે પૈસા લેવાની વાત જોડાયેલ નથી. અધિકારીએ કહ્યું કે, MDR નો હેતુ UPI ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો પાસેથી પૈસા લેવાનો નથી. વાતચીત મર્ચન્ટ-સાઇડ ઇકોનોમિક્સ અને પેમેન્ટ ઇકોસિસ્ટમની સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) વિશે થઈ રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, UPI નો ઝડપથી વિસ્તાર થયો છે પરંતુ તેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવી રાખવામાં બેંકો અને પેમેન્ટ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા અન્ય લોકોની કોસ્ટ પણ વધી રહી છે. એવું માનવામાં આવે છે કે, આ મોડલ સમયની સાથે કમર્શિયલી સસ્ટેનેબલ (વ્યાવસાયિક રીતે ટકાઉ) હોવું જોઈએ.

કેન્દ્ર સરકાર અત્યારે 2,000 રૂપિયા સુધીના ઓછા મૂલ્યવાળા UPI ટ્રાન્ઝેક્શન માટે બેંકો અને અન્ય પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને ઇન્સેન્ટિવ આપે છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને અલગ-અલગ પ્રકારના લોકો વચ્ચે અપનાવવામાં તેજી લાવવા, ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનને મોર્ડન બનાવવા અને ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન (નાણાકીય સમાવેશીકરણ) ને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય વર્ષ 2022 માં “RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યવાળા BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઇન્સેન્ટિવ સ્કીમ” શરૂ કરવામાં આવી હતી.

શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ?

ફાઇનાન્સ પર બનેલી સ્ટેન્ડિંગ કમિટીના 12 માર્ચ, 2026 ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સસ્તું અને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ઝીરો MDR લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે MDR ન હોવાને કારણે UPI ઇકોસિસ્ટમ આર્થિક રીતે સસ્ટેનેબલ રહી નથી.

કમિટીએ જણાવ્યું કે, ભારતના ડેમોગ્રાફિક્સ, આર્થિક વિકાસ અને ભૌગોલિક પહોંચના કારણે આગામી વર્ષોમાં UPI નો વિસ્તાર દસ ગણો થઈ શકે છે. અંદાજ છે કે, આ પ્લેટફોર્મ આગામી પાંચથી સાત વર્ષમાં વધુ 600 મિલિયન યુઝર્સ ઉમેરી શકે છે અને દર મહિને 100-150 બિલિયન ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરી શકે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, UPI ની ધીમી પડતી વિકાસ ગતિ અને સ્ટ્રક્ચરલ ફંડિંગ ગેપના કારણે આ સ્તર સુધી પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે. હવે આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યોરિટી અને મર્ચન્ટ ઓનબોર્ડિંગમાં ઇકોસિસ્ટમનું રોકાણ મર્યાદિત થઈ જાય છે.

National Film Awards: ‘આર્ટિકલ 370’ બની ‘બેસ્ટ ફિલ્મ’, ‘યામી ગૌતમ’ અને ‘કાર્તિક આર્યન’ ચમક્યા

Follow Us