WhatsApp નો મોટો નિર્ણય, દરેક SMS પર લાગશે 2.3 રૂપિયા ચાર્જ, 1 જુનથી લાગુ થશે નવો નિયમ

|

Mar 28, 2024 | 9:40 AM

WhatsAppએ નવી આંતરરાષ્ટ્રીય OTPs કેટેગરી રજૂ કરી છે, જે કોમર્શિયલ ઇન્ટરનેશનલ મેસેજ મોકલવાનું મોંઘા કરશે. આવી સ્થિતિમાં વોટ્સએપની કમાણી વધવાની આશા છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ...

WhatsApp નો મોટો નિર્ણય, દરેક SMS પર લાગશે 2.3 રૂપિયા ચાર્જ, 1 જુનથી લાગુ થશે નવો નિયમ
WhatsApp

Follow us on

મેટા માલિકીના WhatsAppએ ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી શ્રેણી રજૂ કરી છે. તેનાથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે. વોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણી વધવાની આશા છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય સંદેશાઓની કિંમત પહેલા કરતા 20 ગણી વધી ગઈ છે. જો કે, સામાન્ય યુઝર્સ પહેલાની જેમ જ ફ્રીમાં WhatsAppનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. નવો નિર્ણય જો વ્યવસાય એસએમએસ પર થશે.

પ્રતિ SMS 2.3 રૂપિયા ચૂકવવા પડશે

વોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ તમારે પ્રતિ મેસેજ 2.3 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. તેની અસર ભારત અને ઈન્ડોનેશિયા બંનેના બિઝનેસ પર જોવા મળશે. વોટ્સએપના નવા નિર્ણયથી એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓના કોમ્યુનિકેશન બજેટમાં વધારો થશે. વાસ્તવમાં, WhatsApp દ્વારા વેરિફિકેશન સામાન્ય આંતરરાષ્ટ્રીય વેરિફિકેશન OTP કરતા સસ્તું હતું.

પહેલા શું રેટ હતા?

અગાઉ ટેલિકોમ કંપનીઓ સ્થાનિક SMS મોકલવા માટે પ્રતિ SMS 0.12 પૈસા ચાર્જ કરતી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમત 4.13 રૂપિયા પ્રતિ SMS હતી, જ્યારે WhatsApp આંતરરાષ્ટ્રીય SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ કરતી હતી, જે વધીને 2.3 રૂપિયા પ્રતિ SMS થઈ ગયું છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

ભારત એક મોટું બજાર છે

તમને જણાવી દઈએ કે ભારતમાં એન્ટરપ્રાઇઝ મેસેજિંગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે, જેનો બજાર હિસ્સો 7600 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જેમાં એસએમએસ, પુશ મેસેજ, ઓટીપી વેરિફિકેશન, એપ્લિકેશન લોગિન, નાણાકીય વ્યવહારો, સર્વિસ ડિલિવરી જેવા મેસેજનો સમાવેશ થાય છે.

Jio અને Airtel ને ફાયદો

ઓછા WhatsApp SMS ચાર્જને કારણે, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વેરિફિકેશન અને મેસેજિંગ ટૂલ તરીકે WhatsAppનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે એરટેલ અને જિયો જેવી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું. જોકે, નવા નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓને ફાયદો થવાની આશા છે.

Next Article