તમારી આ ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે, જાણો વિગતવાર

|

Mar 18, 2022 | 9:56 AM

તમે બેંકમાં કરંટ અથવા બચત ખાતું કોઈપણ ખાતું ખોલી શકો છો બેંકમાં ખાતું હોવાથી આપણું કામ સરળ બને છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે.

તમારી આ ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે, જાણો વિગતવાર
બેંકના આ નિયમો જાણવા જરૂરી

Follow us on

પ્રધાનમંત્રી જન ધન યોજના(pradhan mantri jan dhan yojana) શરૂ થઈ ત્યારથી દેશના લગભગ દરેક પરિવાર પાસે પોતાનું બેંક ખાતું(Bank Account) છે. ઘણા લોકો પાસે એક કરતા વધુ બેંક ખાતા પણ છે. આવી સ્થિતિમાં જરૂરિયાત મુજબ ઘણા લોકો બેંક ખાતાની સાથે ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેની સુવિધા પણ લે છે. તમે બેંકમાં કરંટ અથવા બચત ખાતું કોઈપણ ખાતું ખોલી શકો છો બેંકમાં ખાતું હોવાથી આપણું કામ સરળ બને છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. અહેવાલ દ્વારા જાણો કે ક્યાં કારણોથી બેંક વ્યક્તિનું ખાતું બંધ કરી શકે છે

 બે વર્ષ સુધી ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન થવાના કિસ્સામાં

તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર જો કોઈ બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થતું તો તે ખાતાને નિષ્ક્રિય ખાતું માનવામાં આવે છે. બેંક આવા ખાતાને નિષ્ક્રિય યાદીમાં મૂકે છે. આ પ્રકારના ખાતામાં જમા કરવામાં આવેલા પૈસા પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી.

બેંક ખાતામાં KYC અપડેટ ન કરવા બદલ

જો ગ્રાહક તેના ખાતા પર KYC અપડેટ ન કરે તો ખાતું બંધ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર દરેક ખાતાધારકે દર ત્રણ વર્ષે એકવાર KYC અપડેટ કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે બેંક ખાતાધારકનું ખાતું ફ્રીઝ કરી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારી બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકશો નહીં.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોઈપણ પુરાવા વગર ખાતામાં પૈસા મળવા પર

જો કોઈ સ્ત્રોતની યોગ્ય જાણકારી વગર ખાતાધારકના ખાતામાં મોટી રકમ આવે છે તો આવી સ્થિતિમાં ખાતાધારકને ફ્રીઝ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અચાનક કોઈના ખાતામાં 10 કરોડ રૂપિયા આવી જાય છે જેના સ્ત્રોતની તેની પાસે સાચી માહિતી નથી. તો આવી સ્થિતિમાં બેંક પાસે આવા ખાતાને ફ્રીઝ કરવાનો અધિકાર છે.

કોઈપણ શંકાસ્પદ અથવા ખોટા વ્યવહારના કિસ્સામાં

જો કોઈ ખાતાધારકના ખાતામાંથી કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હોય અથવા વિદેશી ખાતામાંથી તેના ખાતામાં પૈસા આવ્યા હોય તો આવી સ્થિતિમાં ખાતું ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ફરી ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર

આ પણ વાંચો : રિઝર્વ બેંક Paytm ને કેમ શંકાની નજરે જોઈ રહી છે, જાણો શું છે મામલો

Next Article